બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે ડીવાયએસપીની હાજરીમાં ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરનું આયોજન


SHARE











મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે ડીવાયએસપીની હાજરીમાં ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરનું આયોજન

હર હંમેશ મૂલ્યલક્ષી-પ્રેક્ટિકલ એજ્યુકેશન માં અગ્રેસર રહેતી નીલકંઠ કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે ડીવાયએસપી સમીર સારડાના અધ્યક્ષ સ્થાને બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.નીલકંઠ કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવામાં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટે અતિ મહત્વની ધ્યાનમાં રાખવા જેવી બાબત વિશે માર્ગદર્શન આપવા માટે જુદા જુદા ક્ષેત્રોના તજજ્ઞોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓને કંઈક નવીન, કંઈક અનોખું આપવાના હેતુ સાથે બિઝનેસ ટોક-ગેસ્ટ લેક્ચરમાં ડીવાયએસપી સમીર સારડા, આરએસએસ સૌરાષ્ટ્ર પ્રાંત બૌધિક વિભાગના કાર્યવાહક મહેશભાઈ બોપલિયા અને યુવા અગ્રણી જયદીપભાઈ દેત્રોજા ઉપસ્થિત રહ્યા હતાં.

ધો.૧૦ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓને પોતાના વ્યક્તિગત અનુભવોને આધારે ડીવાયએસપી સમીર સારડા દ્વારા કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી..? સફળ થવામાં અનુભવ અને મહેનતનું મહત્વ, સમાજમાં લો એન્ડ ઓર્ડરની જાળવણી, રોજબરોજ વધી રહેલા સાઇબર ક્રાઇમથી કેવી રીતે બચવું.? વગેરે બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.મહેશભાઈ બોપલિયા અને જીતુભાઈ વડસોલા દ્વારા વિદ્યાર્થીકાળ દરમિયાન જીવનમાં ખુબ જરૂરી મૂલ્યો જેવાકે વ્યક્તિગત ચરિત્ર નિર્માણ, રાષ્ટ્રભાવના, આત્મવિશ્વાસ, ઉદ્યોગ સાહસિકતા, કાર્યશીલતા જેવા મુદ્દા ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતુ.નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને  પ્રોત્સાહન અને કેરિયરલક્ષી માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઇ વડસોલા અને નવનીતભાઈ  કાસુન્દ્રા દ્વારા આમંત્રિત મહેમાનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News