મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબી નજીક એસટી-ડમ્પર વચ્ચે અકસ્માત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


SHARE















મોરબી નજીક એસટી-ડમ્પર વચ્ચે અકસ્માત: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર કુબેર ટોકીઝની સામેના ભાગમાં પેટ્રોલ પંપ નજીક એસટી અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બે વ્યક્તિને ઈજા થઈ હોવાથી ઇજા પામેલને સારવાર માટેના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝની સામેના ભાગમાં પેટ્રોલ પંપ પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં હમીદાબેન વસીમભાઈ ખોખર તથા શકીનાબેન વસીમભાઈ ખોખર રહે. બંને રણછોડનગર સેન્ટ મેરી સ્કૂલની પાછળ નવલખી રોડ મોરબી વાળાઓને ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે બંનેને સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીમાં ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા નવઘણ માત્રા ભરવાડ (૫૪) નામના આધેડને મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીમાં સોઓરડીમાં રહેતા ચિરાગ અરવિંદભાઈ સાગઠીયા (૩૩) નામના યુવાનને તેના ઘર પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News