વાંકાનેર નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબીમાં વાહનોના પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયાનો પ્રારંભ મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં દાઝી જવાથી ચાર વ્યક્તિ સારવારમાં


SHARE













મોરબી નજીક કારખાનામાં દાઝી જવાથી ચાર વ્યક્તિ સારવારમાં

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવાપર નદી ગામ પાસે કારખાનામાં ભુસુ સળગાવતા સમયે દાઝી જવાના કારણે ચાર વ્યક્તિઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવાપર નદી ગામ પાસે સર્વોત્તમ ડેકોર પ્રાઇવેટ લિમિટેડમાં કામગીરી દરમિયાન દાઝી જવાના કારણે નંદનભાઈ અઘેરા (૨૫) રહે. બાલાજી કૃપા ગોકુલધામ પાસે રાજકોટ, હાર્દિકભાઈ સપારીયા (૩૦) રહે. વૃંદાવન સોસાયટી શેરી નં-૪ રાજકોટ, આંબાલાલ (૩૬) રહે. હાલ સર્વોત્તમ ડેકોર પ્રાઇવેટ લિમિટેડ મૂળ રહે રાજસ્થાન અને ભગવાનભાઈ બાવળીયા (૨૬) રહે. સર્વોત્તમ ડેકોર પ્રાઇવેટ લિમિટેડ વાળાઓને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે અને તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સર્વોત્તમ ડેકોર પ્રાઇવેટ લિમિટેડમાં ભૂસુ સળગાવતા સમયે કોઈ કારણોસર દાઝી જવાના કારણે આ ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટી પાછળ ઉમિયા નગરમાં રહેતા સમીરભાઈ ચાવડા (૧૯) નામના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર શેરી નં-૩ માં રહેતા પૂનમબેન જીગ્નેશભાઈ મિયાત્રા જાતે આહિર (૩૩) નામની મહિલાને ત્યાં મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી








Latest News