મોરબીમાં રામનવમી નિમિતે યોજાયેલ શોભાયાત્રા-મહાઆરતીમાં ધારાસભ્ય સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા
ટંકારા તાલુકા ક્ષત્રિય સમાજ સહિત અઢારેય વરણનું ખુલ્લેઆમ કોંગ્રેસનાં પરેશભાઈ ધાનાણીને સમર્થન
SHARE
ટંકારા તાલુકા ક્ષત્રિય સમાજ સહિત અઢારેય વરણનું ખુલ્લેઆમ કોંગ્રેસનાં પરેશભાઈ ધાનાણીને સમર્થન
રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે “ભાજપનું અભિમાન ઓગાળવા અને બહેન દીકરીઓના સ્વમાન અને સ્વાભિમાન માટે થઈને આ યુદ્ધ શરૂ થઈ ગયું છે અને તેમાં દરેક જ્ઞાતિ સમાજ અને સંગઠનનો કોંગ્રેસને ટેકો અને સમર્થન મળી રહ્યું છે ત્યારે ટંકારા તાલુકા કોંગ્રેસના ક્ષત્રિય સમાજના આગેવાનોએ ખુલ્લેઆમ સામે આવીને પરેશભાઈ ધાનાણીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે
આગામી તા.૭ મે ના રોજ લોકસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે લોકસભાની ચૂંટણી માટે થઈને ઉમેદવારો દ્વારા હાલમાં ફોર્મ ભરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન ટંકારા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા પરેશભાઈ ધાણાનીનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ તેઓએ રાજકોટ લોકસભા વિસ્તારની અંદર જનસંપર્ક શરૂ કર્યું છે અને તેવામાં તેઓ ટંકારા તાલુકામાં આવ્યા હતા અને ટંકારા ખાતે આવેલ કોંગ્રેસના કાર્યાલય ખાતે તેઓએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ટંકારાના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભૂપતભાઇ ગોધાણી, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ગિરીશભાઈ પેથાપરા, પંકજભાઈ રાણસરિયા, રાજુભાઇ આહીર, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા સહિતાઓની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ સાથે જન સંપર્ક કર્યો હતો અને આગામી ૧૯ મી તારીખે તેઓ ફોર્મ ભરવા માટે જવાના છે તેવી વાત તેઓએ જણાવી હતી અને ખાસ કરીને તેમણે જણાવ્યું હતું કે આ લોકસભા બેઠક જીતવા માટેની ચૂંટણી નથી પરંતુ આ ભાજપનું અભિમાન ઉગાળવા અને બહેન દીકરીઓના સ્વમાન અને સ્વાભિમાન માટેનું યુદ્ધ શરૂ થયું છે જેમાં દરેક જ્ઞાતિ-સમાજ અને સંગઠનનો કોંગ્રેસને ટેકો અને સમર્થન મળી રહ્યું છે આ તકે ટંકારા તાલુકા ક્ષત્રિય સમાજના કૃષ્ણસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ ક્ષત્રિય સમાજ સહિતના અઢારે વરણનો ટેકો આ વખતે કોંગ્રેસને મળશે તેવું એલાન કર્યું છે