મોરબી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-ફાયરની ટીમ દોડી આવી મોરબીમાં છેલ્લા 3 દિવસમાં પ્રોપેન ગેસ આધારિત વધુ 70 કારખાના બંધ, ઈરાન-ઇઝરાયલના યુધ્ધ પછી કુલ 170 સિરામિક કારખાના બંધ થયા મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત મોરબીમાં લોહીની ઉલટી થયા બાદ યુવાનનું મોત હળવદના નવા વેગડવાવ ગામે ખેતરમાં ઘઉં કાપવાના કટર મશીન ઉપર ચડેલા યુવાનનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત ​​​​​​​મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા આધેડે પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત મોરબીમાં રહેતા યુવાને દીકરીને ઓનલાઈન કલાસમાં શિક્ષણ માટે પેમેન્ટ કરાવતા 11 હજારની છેતરપિંડી ટંકારામાં વિશ્વ મહિલા દિવસ દરમિયાન ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન, રોકડિયા હનુમાન, મણિધર હનુમાન, પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ


SHARE













મોરબીના ખોખરા હનુમાન, રોકડિયા હનુમાન, મણિધર હનુમાન, પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાનજી હરિહરધામ મંદિર ખાતે હનુમાન જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે સુંદરકાંડ, રામાયણ પાઠ, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આવી જ રીતે મોરબીના પંચમુખી હનુમાન, ચકિયા હનુમાન, રોકડિયા હનુમાન, મણિધર હનુમાન મંદિર સહિતના હનુમાન મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમ અને મહાપ્રસાદ સહિતના આયોજન કરવામાં આવ્યા હતા

મોરબીના ભરતનગર બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે હનુમાન જયંતિ નિમિતે જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોખરા હનુમાનજી હરિહરધામ ખાતે અંનત વિભૂષિત મહામંડલેશ્વર કંનકેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં સુંદરકાંડ, રામાયણ પાઠ, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામા આવ્યા હતા આવી જ રીતે મોરબીના પંચમુખી હનુમાન મંદિરે ધૂન, રોકડીયા હનુમાનજીના મંદિરે યજ્ઞ, ટંકારાના નારીચાણિયા હનુમાનના મંદિરે હવનનું આયોજન કરાયું હતું. મોરબીના શનાળા રોડ ઉપર લાતીપ્લોટના ખૂણા પાસે આવેલ મણીઘર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જયંતિ નિમિતે સુંદરકાંડ, મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું તો ટંકારા ડેમી નદીના કાંઠે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પણ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી




Latest News