મોરબીમાં પરશુરામ જયંતીએ શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું આયોજન
મોરબી કરશે મહાદાન: મોરબીની સિવિલ હોસ્પિટલની મતદાન માટે અનોખી પહેલ
SHARE
મોરબી કરશે મહાદાન: મોરબીની સિવિલ હોસ્પિટલની મતદાન માટે અનોખી પહેલ
આગામી તા. 7 રોજ મોરબી સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન થવાનું છે. ત્યારે મતદાન અંગે લોકોમાં જાગૃતિ આવે અને ૧૦૦ ટકા મતદાન થાય તે માટે મોરબીની સીવીલ હોસ્પિટલ પણ મતદાન જાગૃતિના અભિયાનમાં જોડાઇ છે.
મોરબીની સીવીલ હોસ્પિટલ પ્રસાશન દ્વારા મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ હાથ ધરી છે. જે અંતર્ગત સીવીલ હોસ્પિટલમાં આવતા તમામ દર્દી નારાયણને મતદાન માટે જાગૃત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવેલ છે અને તમામ કેશ પેપર પર રાષ્ટ્રીય હિત માટે સો ટકા મતદાન અંગેનો સંદેશો આપતો સિક્કો 'મોરબી કરશે મહાદાન' લગાવવામાં આવે છે અને દર્દીઓને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આમ મોરબીની સીવીલ હોસ્પિટલ પ્રસાશન ૧૦૦ ટકા મતદાન થાય તે માટે તંત્રના અભિયાનમાં સાથ સહકાર આપી લોકોમાં જાગૃત કરે છે