મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે ચકલીઘર-પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે


SHARE













મોરબીમાં શનિવારે ચકલીઘર-પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે ચકલીઘર-પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને જીવદયા પ્રોજેકટ અંતર્ગત પક્ષીઓને રાહત મળે તે માટે આ પ્રોજેકટ કરવામાં આવેલ છે

મોરબીમાં શનિવારે તા ૨૭ ને શનિવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી શનાળા રોડ પર આવેલા ઉમિયા સર્કલ પાસે આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. આ જીવદયા પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા પોતાના ટ્રસ્ટમાંથી જરૂરિયાત મુજબનો આર્થિક સહયોગ આપશે. તો દરેક પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓએ સેવા કેમ્પનો લાભ લેવા મોરબી લાયન્સ ક્લબના સિટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા અને ખજાનચી મણિલાલ જે. કાવરએ અપીલ કરેલ છે






Latest News