મોરબી કરશે મહાદાન: મોરબીની સિવિલ હોસ્પિટલની મતદાન માટે અનોખી પહેલ
મોરબીમાં શનિવારે ચકલીઘર-પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે
SHARE
મોરબીમાં શનિવારે ચકલીઘર-પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાશે
મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે ચકલીઘર-પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને જીવદયા પ્રોજેકટ અંતર્ગત પક્ષીઓને રાહત મળે તે માટે આ પ્રોજેકટ કરવામાં આવેલ છે
મોરબીમાં શનિવારે તા ૨૭ ને શનિવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી શનાળા રોડ પર આવેલા ઉમિયા સર્કલ પાસે આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. આ જીવદયા પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા પોતાના ટ્રસ્ટમાંથી જરૂરિયાત મુજબનો આર્થિક સહયોગ આપશે. તો દરેક પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓએ સેવા કેમ્પનો લાભ લેવા મોરબી લાયન્સ ક્લબના સિટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા અને ખજાનચી મણિલાલ જે. કાવરએ અપીલ કરેલ છે