મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપના કાર્યક્રમ કરાવવા પોલીસે કેમ રાંઢવા લેવા પડે છે.?! ત્રણ-ચાર રતન દુખીયઓના લીધે નહીં આખો ક્ષત્રિય સમાજ સાથે છે : જયદેવસિંહ જાડેજા


SHARE







મોરબીમાં ભાજપના કાર્યક્રમ કરાવવા પોલીસે કેમ રાંઢવા લેવા પડે છે.?! ત્રણ-ચાર રતન દુખીયઓના લીધે નહીં આખો ક્ષત્રિય સમાજ સાથે જ છે : જયદેવસિંહ જાડેજા

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે જે ટીપ્પણી કરી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે અને સતત વિરોધ પણ કરવામાં આવે છે તેવામાં કચ્છ-મોરબી બેઠકના ભાજપના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વિરોધ કરવામાં આવ્યો હતો જેથી કરીને મોરબીના ધારાસભ્યએ કહ્યું હતું કે, “રતન દુખિયા” વિરોધ કરી રહ્યા છે જેથી કરીને ધારાસભ્યને મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખે જવાબ આપતા જણાવ્યુ છે કે, ઉશ્કેરણી જનક ભાષાનો ઉપયોગ ન કરો. અને તમે કહો છો બે ચાર રતન દુખીતા છે તો પણ મોરબીમાં કાર્યક્રમ કરો ત્યારે પોલીસે રાંઢવા લેવા પડે છે બાકીનો હિસાબ ચૂંટણી પછી કરીશું.

મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ હાલમાં સોશયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો છે જેમાં તેને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને જવાબ આપેલ છે અને કહ્યું છે કે, મોરબીમાં કચ્છ-મોરબીના ભાજપ ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમ હતો ત્યારે રાજપૂત કરણી સેનાના યુવાનોએ સભામાં આવીને નારે બાજી કરીને વિરોધ કર્યો હતો ત્યારે ધારાસભ્યએ રાજપૂત સમાજ આપણી સાથે જ છે ખાલી બે-ચાર રતન દુખિયા છે તે જ વિરોધ કરી રહ્યા છે જેનો જયદેવસિંહ જાડેજાએ વિડીયો મારફત જવાબ આપેલ છે અને ધારાસભ્યને ઉશ્કેરણી જનક ભાષાનો ઉપયોગ ન કરો તેવી ટકોર કરેલ છે અને ખાસ કરીને તાજેતરમાં પરસોતમ રૂપાલાનો કાર્યક્રમ હતો ત્યારે પોલીસે રાંઢવા લીધા હતા જે વિડિયોમાં પણ જોવા મળ્યું હતું જે માત્ર બે ચાર રતન દુખિયાના લીધે નહીં આખો ક્ષત્રિય સમાજના હિસાબે છે અને જયારે પેટીઓ ખુલશે ત્યારે ખબર પડી જશે કે રતન દુખિયા કોણ છે જેથી કરીને બોલવા મર્યાદા રાખો આઢારેય વરણના લોકો ગામે ગામ ક્ષત્રિય સમાજની સાથે જ છે.






Latest News