મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા(મી)થી સૂરજબારી સુધી સી.સી.ટીવી કેમેરાની બેટરીઓ-ઇન્વેટરો ચોરી કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE













માળીયા(મી)થી સૂરજબારી સુધી સી.સી.ટીવી કેમેરાની બેટરીઓ-ઇન્વેટરો ચોરી કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબી કચ્છ નેશનલ હાઇવે પરના લોકોની સલામતી માટે સી.સી.ટીવી મૂકવામાં આવેલ છે જો કે, આ કેમેરાની બેટરીઓ તથા ઇન્વેટરોની ચોરી કરતી ગેંગને માળીયા(મી) પોલીસે પકડી હતી અને બે શખ્સોને ચોરાઉ બેટરીઓ તથા ઇન્વેટરો તેમજ કાર સાથે પકડાયા હતા જે બનાવમાં હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

માળીયા તાલુકા પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા તેની ટિમે હરિપર ગામના પાટીયા પાસેથી પસાર થતી આઈ -૨૦ કાર નંબર જીજે ૩ ઇસી ૪૭૨૨ શંકમંદ હાલતમાં મળી હતી અને ગાડીની તપાસ કરતા બે ઇસમો તથા ગાડીમાંથી ૨૦ બેટરીઓ તથા ૧૦ ઇન્વેટર સાથે મળી આવ્યા હતા જેથી તેના બિલ કે આધાર પુરાવા માંગ્યા હતા અને મુદામાલને સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરીને ઉપેન્દ્રભાઇ મુરજીભાઇ સુથાર જાતે સુથાર (ઉ.૩૪) રહે. શીકારપુર પટેલવાસ ભચાઉ જિલ્લો કચ્છ અને ઉમરદીનભાઇ અવેશભાઇ જીએજા જાતે મુસ્લીમ (ઉ.૩૨) રહે. શીકારપુર રબારીવાસ ભચાઉ જીલ્લો કચ્છ વાળાની અટક કરી હતી અને આ શ્ખ્સોએ નેશનલ હાઇવે રોડ પર રહેલ સી.સી.ટી.વી કેમેરામાં લાગેલ બેટરીઓ તથા ઇન્વેટરોની રાત્રીના સમયે અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલાની કબુલાત આપેલ હતી જેથી સુરજબારી નેશનલ હાઇવે ટોલટેકસના મેનેજરને જાણ કરી હતી અને તેઓને બોલાવી પુછતા નેશનલ હાલવે રોડ પર અલગ અલગ જગ્યાએ સી.સી.ટી.વી કેમેરાની બેટરીઓ તથા ઇન્વેટરોની ચોરીઓ થયેલાનુ સામે આવ્યું હતું અને હાલમાં બનાવમાં ઉતમસિંઘ છોટેલાલસિંઘ રાજપુત (ઉ.૪૫) રહે. સામખાયાળી ઓમ બગ્લોઝ સોસાયટી વાળાની ફરિયાદ લેવામાં આવી છે અને આરોપીઓએ ૨૦ બેટરીઓ તથા ૧૦ ઇન્વેટર જેની કિંમત ૨.૮૮ લાખના મુદામાલની ચોરી કરી હોવાનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News