મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

માળીયા(મી)થી સૂરજબારી સુધી સી.સી.ટીવી કેમેરાની બેટરીઓ-ઇન્વેટરો ચોરી કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE













માળીયા(મી)થી સૂરજબારી સુધી સી.સી.ટીવી કેમેરાની બેટરીઓ-ઇન્વેટરો ચોરી કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબી કચ્છ નેશનલ હાઇવે પરના લોકોની સલામતી માટે સી.સી.ટીવી મૂકવામાં આવેલ છે જો કે, આ કેમેરાની બેટરીઓ તથા ઇન્વેટરોની ચોરી કરતી ગેંગને માળીયા(મી) પોલીસે પકડી હતી અને બે શખ્સોને ચોરાઉ બેટરીઓ તથા ઇન્વેટરો તેમજ કાર સાથે પકડાયા હતા જે બનાવમાં હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

માળીયા તાલુકા પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા તેની ટિમે હરિપર ગામના પાટીયા પાસેથી પસાર થતી આઈ -૨૦ કાર નંબર જીજે ૩ ઇસી ૪૭૨૨ શંકમંદ હાલતમાં મળી હતી અને ગાડીની તપાસ કરતા બે ઇસમો તથા ગાડીમાંથી ૨૦ બેટરીઓ તથા ૧૦ ઇન્વેટર સાથે મળી આવ્યા હતા જેથી તેના બિલ કે આધાર પુરાવા માંગ્યા હતા અને મુદામાલને સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરીને ઉપેન્દ્રભાઇ મુરજીભાઇ સુથાર જાતે સુથાર (ઉ.૩૪) રહે. શીકારપુર પટેલવાસ ભચાઉ જિલ્લો કચ્છ અને ઉમરદીનભાઇ અવેશભાઇ જીએજા જાતે મુસ્લીમ (ઉ.૩૨) રહે. શીકારપુર રબારીવાસ ભચાઉ જીલ્લો કચ્છ વાળાની અટક કરી હતી અને આ શ્ખ્સોએ નેશનલ હાઇવે રોડ પર રહેલ સી.સી.ટી.વી કેમેરામાં લાગેલ બેટરીઓ તથા ઇન્વેટરોની રાત્રીના સમયે અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલાની કબુલાત આપેલ હતી જેથી સુરજબારી નેશનલ હાઇવે ટોલટેકસના મેનેજરને જાણ કરી હતી અને તેઓને બોલાવી પુછતા નેશનલ હાલવે રોડ પર અલગ અલગ જગ્યાએ સી.સી.ટી.વી કેમેરાની બેટરીઓ તથા ઇન્વેટરોની ચોરીઓ થયેલાનુ સામે આવ્યું હતું અને હાલમાં બનાવમાં ઉતમસિંઘ છોટેલાલસિંઘ રાજપુત (ઉ.૪૫) રહે. સામખાયાળી ઓમ બગ્લોઝ સોસાયટી વાળાની ફરિયાદ લેવામાં આવી છે અને આરોપીઓએ ૨૦ બેટરીઓ તથા ૧૦ ઇન્વેટર જેની કિંમત ૨.૮૮ લાખના મુદામાલની ચોરી કરી હોવાનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.








Latest News