મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડનો બનાવ : નવા બનતા બહુમાળી બીલ્ડીંગના પાંચમા માળેથી પટકાતાં યુવાનનું મોત


SHARE













મોરબીના પંચાસર રોડનો બનાવ : નવા બનતા બહુમાળી બીલ્ડીંગના પાંચમા માળેથી પટકાતાં યુવાનનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પુષ્કરધામ સોસાયટીમાં નવા બની રહેલા બિલ્ડીંગના પાંચમાં માળે પાણી છાંટતા સમયે પગ લપસી જવાથી પાંચમાં માળેથી નીચે પટકાયેલા રાજસ્થાની યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના પંચાસર રોડ ઉપર પુષ્કરધામ સોસાયટી આવેલી છે જેમાં નીલકંઠ એપાર્ટમેન્ટના નામે નવું બહુમાળી બીલ્ડીંગનું બાંધકામ થઇ રહ્યું છે તેના પાંચમાં માળે પાણી પાતા સમયે પગ લપસી જવાથી પાંચમાં માળની ઊંચાઈએથી નીચે પટકાતા માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી અર્જુનરામ લુણારામ જોરટ જાતે જાટ (ઉમર ૧૮) હાલ રહે. પંચાસર રોડ પુષ્કરધામ સોસાયટી મોરબી મૂળ રહે.ખીમસર તાલુકો બાયતુ જીલ્લો બાડમેર રાજસ્થાન નામના રાજસ્થાની મજુર યુવાનનું મોત નીપજયું હતું.બનાવને પગલે એ ડિવિજન પોલીસ મથકના વી.પી.છાસીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સોખડા ગામના રહેવાસી રવુભા દેવરાજભા  બળદા જાતે ગઢવી (૩૪) અને ભીખુભા નટુભા નામના બે યુવાનો બાઈકમાં સોખડા ગામ નજીકથી જતા હતા ત્યારે તેઓના બૈઇકની આડે રોજડુ(જંગલી પ્રાણી) આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા રવુભા અને ભીખુભાને આયુષ હોસ્પિટલે સારવારમાં લઇ જવાયા હતા જ્યાંથી વધુ ઈજાગ્રસ્ત ભીખુભા નટુભાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.








Latest News