મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર
Breaking news
Morbi Today

મોરબી નજીક સરકારી ખરાબમાં દબાણ કરીને બનાવી નાખ્યો પાર્ટી પ્લોટ ?: અધિકારીઓ મુકપ્રેક્ષક !


SHARE













મોરબી નજીક સરકારી ખરાબમાં દબાણ કરીને બનાવી નાખ્યો પાર્ટી પ્લોટ ?: અધિકારીઓ મુકપ્રેક્ષક !

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી નજીલ વજેપર ગામના સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરીને ઘણા સમયથી પાર્ટી પ્લોટ બનાવી નાખવામાં આવેલ છે તો પણ અધિકારીઓએ મુક્પ્રેક્ષકની ભૂમિકામાં છે ત્યારે રાજકોટમાં બનેલ ઘટના જેવી કોઈ ઘટના મોરબીમાં બને તે પહેલા સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરીને બનાવવામાં આવેલ પાર્ટી પ્લોટનું દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ હાલમાં કલેકટરને આધાર પુરાવા સાથે જે લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના મોજે- વજેપર ગામના રેવન્યુ સર્વે નં. ૧૧૧૬ ઉપર સરકારી ખરાબાની જગ્યા આવેલ છે. અને તે હાલમાં કલસિક પાર્ટી પ્લોટનું ગેરકાયદે બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું છે અને પ્રસંગોપાત ભાડે પણ તે આપવામાં આવે છે. તો પણ કોઈ કાર્યવાહી કેમ તંત્ર દ્વારા કરવામાં આવી રહી નથી અને સરકારી ખરાબાની જગ્યામાં વર્ષોથી જમીન દબાણ કરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે તો પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે આ પાર્ટી પ્લોટ કોની મીઠી નજર હેઠળ ચલાવવામાં આવે છે ? તે સહિતની તપાસ કરવામાં આવે તો હજુ પણ ચોંકાવનારી માહિતી સામે આવે તેમ છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, કોઈ પણ જાતની મંજૂરી કે પરવાનગી વિના હજારોની સંખ્યામાં કોઈપણ પ્રકારની સલામતી વગર તે પાર્ટી પ્લોટમાં પ્રસંગો યોજવામાં આવતા હોય છે. તાજેતરમાં રાજકોટના ગેમઝોનમાં બનેલ દુર્ઘટનામાં ઘણા લોકોએ તેના જીવ ગુમાવ્યા છે તેવી જ રીતે દબાણ કરીને પરવાનગી વગર કોઈપણ જાતની સલામતી વગર જે પાર્ટી પ્લોટ ચલાવવામાં આવે છે ત્યાં દુર્ઘટના બંને તો જવાબદાર કોન ? વગેરે પ્રશ્નો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે ઉઠાવ્યા છે અને આ રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે તપાસ કરીને ગેરકાયદે દબાણ દૂર કરવાની માંગ કરેલ છે






Latest News