મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક સરકારી ખરાબમાં દબાણ કરીને બનાવી નાખ્યો પાર્ટી પ્લોટ ?: અધિકારીઓ મુકપ્રેક્ષક !


SHARE















મોરબી નજીક સરકારી ખરાબમાં દબાણ કરીને બનાવી નાખ્યો પાર્ટી પ્લોટ ?: અધિકારીઓ મુકપ્રેક્ષક !

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી નજીલ વજેપર ગામના સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરીને ઘણા સમયથી પાર્ટી પ્લોટ બનાવી નાખવામાં આવેલ છે તો પણ અધિકારીઓએ મુક્પ્રેક્ષકની ભૂમિકામાં છે ત્યારે રાજકોટમાં બનેલ ઘટના જેવી કોઈ ઘટના મોરબીમાં બને તે પહેલા સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરીને બનાવવામાં આવેલ પાર્ટી પ્લોટનું દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ હાલમાં કલેકટરને આધાર પુરાવા સાથે જે લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના મોજે- વજેપર ગામના રેવન્યુ સર્વે નં. ૧૧૧૬ ઉપર સરકારી ખરાબાની જગ્યા આવેલ છે. અને તે હાલમાં કલસિક પાર્ટી પ્લોટનું ગેરકાયદે બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું છે અને પ્રસંગોપાત ભાડે પણ તે આપવામાં આવે છે. તો પણ કોઈ કાર્યવાહી કેમ તંત્ર દ્વારા કરવામાં આવી રહી નથી અને સરકારી ખરાબાની જગ્યામાં વર્ષોથી જમીન દબાણ કરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે તો પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે આ પાર્ટી પ્લોટ કોની મીઠી નજર હેઠળ ચલાવવામાં આવે છે ? તે સહિતની તપાસ કરવામાં આવે તો હજુ પણ ચોંકાવનારી માહિતી સામે આવે તેમ છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, કોઈ પણ જાતની મંજૂરી કે પરવાનગી વિના હજારોની સંખ્યામાં કોઈપણ પ્રકારની સલામતી વગર તે પાર્ટી પ્લોટમાં પ્રસંગો યોજવામાં આવતા હોય છે. તાજેતરમાં રાજકોટના ગેમઝોનમાં બનેલ દુર્ઘટનામાં ઘણા લોકોએ તેના જીવ ગુમાવ્યા છે તેવી જ રીતે દબાણ કરીને પરવાનગી વગર કોઈપણ જાતની સલામતી વગર જે પાર્ટી પ્લોટ ચલાવવામાં આવે છે ત્યાં દુર્ઘટના બંને તો જવાબદાર કોન ? વગેરે પ્રશ્નો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે ઉઠાવ્યા છે અને આ રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે તપાસ કરીને ગેરકાયદે દબાણ દૂર કરવાની માંગ કરેલ છે






Latest News