મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બેફામ ગતિએ દોડતા ઓવરલોડ વાહનોને બ્રેક લગાવવા હર્ષ સંઘવીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત


SHARE













મોરબી જીલ્લામાં બેફામ ગતિએ દોડતા ઓવરલોડ વાહનોને બ્રેક લગાવવા હર્ષ સંઘવીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત

મોરબી જીલ્લામાં બેફામ ગતિએ ઓવરલોડ માલ ભરીને વાહનો ચલાવવામાં આવે છે તેને વહેલી તકે કોઈ જીવલેણ ગંભીર અકસ્માત બને તે પહેલા બંધ કરાવવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે હાલમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી છે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ હાલમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી છે કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં કોઈપણ પ્રકારની કાયદાકીય સુચનાઓનું પાલન કર્યા વગર ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો બેફામ ગતિએ ચલાવવામાં આવે છે તેમજ આવા ખનીજ ભરેલા ઓવરલોડ વાહનોમાંથી પથ્થર પડવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમજ આ ઓવરલોડ વાહનોમાંથી નાના નાના પથ્થર અન્ય નાના વાહન ચાલકો પર પડે છે. જેના કારણે ગંભીર અકસ્માત થવાની શક્યતા છે તેમજ ઓવરલોડ રેતી ભરેલ વાહનોમાંથી ખારૂ પાણી રોડ ઉપર પડતુ હોવાના કારણે લોકોના ટેકસમાંથી બનેલ રોડ-રસ્તાઓ વારંવાર તુટી જતાં હોય છે. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.

તેમજ મોરબી જીલ્લાના નવલખી બંદર પરથી કોલસા ભરેલા ઓવરલોડ વાહનો બેફામ રીતે ચાલી રહયા છે. જે કોલસા રોડ-રસ્તા પર પડવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલના સમયમાં ખનીજ ભરેલા ઓવરલોડ વાહનના ચાલકો બેફામ બન્યા છે. ત્યારે મોરબી જીલ્લામાં વહીવટી તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહયું છે. જેના કારણે અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. અને કેટલાક લોકોની જીંદગી તેમાં હોમાઇ ગયેલ છે ત્યારે આવા ઓવરલોડ વાહનો બંધ કરાવવા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે માંગ કરી છે






Latest News