ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જ્યંતીની ઉજવાઇ


SHARE













મોરબીમાં મોચી સમાજ દ્વારા સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જ્યંતીની ઉજવાઇ

અનાદિ મહામુક્ત પૂજ્ય સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જયંતી નિમિત્તે મોચી મંદિર ખાતે રંગોળી, દિપમાળા, અન્નકુટ દર્શન સહિતના કાર્યકમો યોજી મોચી સમાજ દ્વારા ભક્તિભાવ અને શ્રદ્ધપુર્વક ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી મોચી સમાજના પરિવારજનો દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી જાગા સ્વામીની જન્મ જયંતી નિમિત્તે મોચી શેરીમાં આવેલ મોચી મંદિર ખાતે દિપમાળા, અન્નકુટ દર્શન, રંગોળી સહિતના વિવિધ કાર્યકમો યોજી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા જાગા સ્વામી મિત્ર મંડળના પૂર્વ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ, પૂર્વ મંત્રી જાદવ કાંતિલાલ પરસોતમભાઈ, પૂર્વ ખજાનચી પ્રફુલભાઈ એચ. વાળા, ધીરુભાઈ પરમાર, જયસુખભાઈ પરમાર, હિતેશ ભાઈ રાઠોડ, બળવંતભાઈ વાઘેલા, નાથાભાઈ પરમાર, પંકજભાઈ ચૌહાણ, મુન્નાભાઈ રચના સાડી વાલા,અને રમેશભાઈ રાજુભાઈ પરમાર સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યકમોનો બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. તેમ જાગા સ્વામી મિત્ર મંડળના પૂર્વ મંત્રી જાદવ કાંતિલાલ પરસોતમભાઈની યાદીમાં જણાવાયું છે.






Latest News