મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રસ્તા ઉપર દબાણ, પાણી અને ટ્રાફિકની સમસ્યા સહિતના પ્રશ્નોનો ઢગલો


SHARE













મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રસ્તા ઉપર દબાણ, પાણી અને ટ્રાફિકની સમસ્યા સહિતના પ્રશ્નોનો ઢગલો

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણની બેઠક યોજાઈ હતી. જેમાં બે સાંસદ, ત્રણ ધારાસભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખ હાજર રહ્યા હતા અને ત્યારે પી.જી.વી.સી.એલ, ટ્રાફિક સમસ્યા,પ્રદુષણ, પીવાના પાણીની સહિતના અનેક પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી અને તેમાં સમસ્યાઓનું સમયમર્યાદામાં નિવારવા લાવવા માટે કલેક્ટર દ્વારા સુચના આપવામાં આવી હતી

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરઘી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને ચંદુભાઈ સિહોરા તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા સહિતના જુદાજુદા વિભાગના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં પી.જી.વી.સી.એલ, ટ્રાફિક સમસ્યા,વાંકાનેરમાં સર્કિટ હાઉસ બનાવવું, વેસ્ટ કચરાનું પ્રદુષણ અટકાવવું, રસ્તા પરના દબાણ હટાવા અને જમીન-મહેસૂલી પ્રશ્નો, પીવાના પાણીની સમસ્યા, જમીન દબાણ, ખૂટતા સબ સેન્ટર,  આંગણવાડીઓ, ફિલ્ટર પ્લાન્ટ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા

આ તમામ પ્રશ્નો અંગે સમીક્ષા કરી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા જુના પ્રશ્નોની હકારાત્મકચર્ચા કરી અને નવા પ્રશ્નોના નિકાલ માટે દરેક  વિભાગોને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાંનિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








Latest News