મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે બે રસ્તાઓનું વન-વે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
Morbi Today
મોરબી લાલપર પીએચસી તેમજ રફાળેશ્વર આદર્શ નિવાસી શાળામાં યોગ દિવસ ઉજવાયો
SHARE
મોરબી લાલપર પીએચસી તેમજ રફાળેશ્વર આદર્શ નિવાસી શાળામાં યોગ દિવસ ઉજવાયો
21 જૂન ના લાલપર ગામે આવેલ પીએચસી તેમજ રફાળેશ્વર પાસે આવેલ આદર્શ નિવાસી પ્રા. શાળા ખાતે "વિશ્વ યોગ દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે લાલપરના સુપરવાઈઝર તેમજ યોગ માસ્ટર દિપક વ્યાસ દ્વારા લાલપર ગામના લોકો તેમજ આદર્શ નિવાસી શાળાના તમામ બાળકોને યોગ પ્રોટોકોલ મુજબ યોગ કરાવવામાં આવ્યા હતા તેમજ યોગ થી થતા વિવિધ ફાયદાઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી ત્યારે પીએચસીના દિલીપભાઈ દલસાણીયા અને મકસુદભાઈ સૈયદ સહિતના હાજર રહ્યા હતા અને આદર્શ નિવાસી શાળા ખાતે મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા) એલ.વી. લાવડિયાએ ખાસ હાજરી આપી હતી.









