મોરબીના નવા બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી
SHARE
મોરબીના નવા બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનના પાર્કિંગમાં યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે 30 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ જૂનાગઢના રહેવાસી અને હાલમાં મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ નવયુગ સ્કૂલની પાસે ગોવર્ધનનગરમાં રહેતા પરાગભાઈ ભીખુભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (34) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનના પાર્કિંગમાં પોતાનું બાઈક નંબર જીજે 11 બીએમ 3438 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 30000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા વિપુલભાઈ મનસુખભાઈ (24) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામના પુલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ નંદરામભાઈ મેસવાણિયા દ્વારા કરવામાં આવી હતી