મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી


SHARE







મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
 
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને લગતા કાર્યક્રમો અવિરત થતાં જ હોય છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને તેમના અંગત તેમજ પ્રોફેશનલ જીવનમાં સતત પ્રેરણા મળ્યા કરે છે. વિદ્યાર્થીઓનાં ઓવરઓલ ડેવેલોપમેંટની દરકાર સાથે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાસાહેબ  સતત કાર્યશીલ રહે છે અને તે માટે નીતનવિન કાર્યક્ર્મોનું આયોજન કરતા રહે છે. 
 
આ ઉત્તમ હેતુ સાથે આજરોજ ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ સંદર્ભે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનાં તમામ વિદ્યાર્થીઓ योग: कर्मेशु कौशलम् સૂત્રને સાર્થક કરતા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી. આર્ટ ઓફ લિવિંગ માંથી અમિતભાઈ તેમજ યોગ અને પ્રાણાયામની તાલીમ લીધેલ તજજ્ઞ દ્વારા વિદ્યાર્થીઓને યોગ અને પ્રાણાયામનું મહત્વ સમજાવી જીવન જીવવાની પ્રાચીન ભારતની જીવનશૈલી અંગે માર્ગદર્શન આપ્યું. તંદુરસ્ત જીવન અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે યોગ અને પ્રાણાયામનું મહત્વ સમજાવ્યું હતુ.





Latest News