મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

ટંકારા નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે પાછળથી ઠોકર મારતા રાજકોટના યુવાનનું મોત


SHARE













ટંકારા નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે પાછળથી ઠોકર મારતા રાજકોટના યુવાનનું મોત

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ આર્ય વિદ્યાલય પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહયું હતું. ત્યારે તે ડબલ સવારી બાઇકને કારના ચાલકે પાછળથી ઠોકર મારી હતી. જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનનું મોત નીપજ્યું હતું. જે અકસ્માતમાં બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલ જલારામ ચોક ગાયત્રીનગર શેરી નં-3 માં રહેતા રાજેશભાઈ નટવરલાલ સાહોલીયા જાતે સોની (52)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 36 એએફ 5176 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેમનો દીકરો રવિભાઈ રાજેશભાઈ સાહોલીયા (26) અને તેના મિત્ર પાર્થ હિતેશભાઇ જોશી સાથે ટંકારાથી રાજકોટ તરફ આવવાના રસ્તા ઉપર બાઈક નંબર જીજે 3 એનએમ 2624 ઉપર રાજકોટ આવી રહ્યો હતો ત્યારે આર્યમ વિદ્યાલય સામે તેઓના બાઈકને પાછળથી કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદીના દીકરા રવિભાઈને માથા, જમણા હાથે, પગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને તેના મિત્ર પાર્થને પાંસળી, લીવર, પેટ, હાથ અને પગના સાથળના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઈલ સ્લીપ

મોરબીના વજેપર શેરી નં- 10 માં રહેતા રાજેશભાઈ છગનભાઈ ખાણધર (38) નામનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેંટમેરી સ્કૂલ પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેથી તે યુવાનને માથામાં અને ડાબા પગની ઘૂંટીના ભાગે ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની વધુ તપાસ પ્રફુલભાઈ પરમાર ચલાવી રહ્યા છે








Latest News