ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર ગામે ઘરે બેભાન થઈ જતા સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત


SHARE













ટંકારાના કલ્યાણપર ગામે ઘરે બેભાન થઈ જતા સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા વૃદ્ધને ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ જતા રાજકોટ ખાતે સારવાર માટે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા મોહનભાઈ રણછોડભાઈ ડોબરીયા (70) પોતે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેઓને રાજકોટમાં આવેલ સિનર્જી હોસ્પિટલ ખાતે સારવાર માટે તા. 15/6 ના રોજ લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તા. 21/6 ના રોજ તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ અંગેની રાજકોટની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે. 

મારામારીમાં ઇજા

મોદીના વજેપર શેરી નં-14 માં રહેતા અલકાબેન સુભાષભાઈ વાઘેલા (37) ને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સીરામીક યુનિટની પાછળના ભાગમાં આવેલ સોસાયટીમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.






Latest News