ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત વિજપુરવઠો ન મળતો હોય વીજકચેરીએ હોબાળો


SHARE













મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત વિજપુરવઠો ન મળતો હોય વીજકચેરીએ હોબાળો

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પિયત માટે સમયસર વીજ પુરવઠો મળતો ન હોવાના કારણે હાલમાં ખેડૂતોની હાલત દયનીય બની છે અને નિયમિત રીતે વીજ પુરવઠો ન મળવાના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ થાય તેવી પરિસ્થિતિ ઊભી થયેલ હોવાથી મોરબી તાલુકાના ખેડૂતો આજે શનાળા ખાતે આવેલ પીજીવીસીએલની કચેરીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારે "વીજળી આપો ખેડૂતોને બચાવો" ના સૂત્રોચાર ખેડુતો દ્વારા કરવામાં આવ્યા હતા.

દેશ અને દુનિયામાં કોલસાની કટોકટીના કારણે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઇ રહી છે અને મોરબીના નળીયા ઉદ્યોગની જેમ ઘણા બધા ઉદ્યોગ-ધંધાને અસર થઇ રહી છે ત્યારે વાત કરીએ ખેડૂતોની તો ખેડૂતો પણ હાલમાં દયનીય સ્થિતિમાં મૂકાયા છે.કારણ કે કોલસાની કટોકટીને લીધે વીજ પુરવઠો અનિયમિત બન્યો છે અને ખાસ કરીને જો વાત કરીએ ખેતીવાડી વિભાગની તો ખેતીવાડીમાં દરરોજ આઠ કલાક વીજળી આપવા માટે સરકાર દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી છે અને થોડા સમય પહેલા જ ગુજરાત સરકાર દ્વારા સૂર્યોદય યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી જોકે હાલમાં વધુ પુરવઠો મળવો તો દૂરની વાત છે પરંતુ અગાઉ મળતો હતો તેટલો વીજ પુરવઠો પણ ખેડુતોને મળતો નથી જેથી કરીને ખેડૂતોને પોતાના પાક બચાવવા મુશ્કેલ બની ગયા છે.આજે મોરબી તાલુકાના નારણકા, ગોરખીજડીયા, વનાળીયા, જેપુર, ખાખરાડા અને ખેવારીયા સહિતના ગામના સરપંચો તેમજ ત્યાંના ખેડૂતો મોરબીના શનાળા ગામ પાસે આવેલ પીજીવીસીએલની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારે તેઓએ "વીજળી આપો ખેડૂતોને બચાવો" સહિતના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને નિયમિત રીતે વીજળી આપવામાં આવે તેવી તેઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી અને સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ખેડૂતોનો વિવિધ પ્રશ્નો ઉકેલવા માટે થઈને નવી જાહેર કરાયેલ સૂર્યોદય યોજના હાલમાં બંધ કરીને ખેડૂતોને પુરતો વિજપુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવશે.જોકે આમ થશે કે કેમ તે આવમાર સમય જ બતાવશે.






Latest News