મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ચક્કર આવતા પડી ગયેલ યુવાન-છાતીમાં દુખાવો ઉપાડતા આધેડનું મોત


SHARE













મોરબીમાં ચક્કર આવતા પડી ગયેલ યુવાન-છાતીમાં દુખાવો ઉપાડતા આધેડનું મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ સોસાયટીમાં ઘર પાસે માતાજીના મઢમાં યુવાન સફાઈ કરી રહ્યો હતો ત્યારે ચક્કર આવતા પડી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાને મૃત જાહેર કર્યો હતો. આવી જ રીતે મોરબીના લીલાપર રોડ ઉપર આધેડને છાતીમાં દુખાવો ઉપડતાં સારવારમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેરકર્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ સોસાયટીમાં રહેતો હિમાંશુ મહેશભાઈ નકુમ (28) નામનો યુવાન પોતાના ઘરની બાજુમાં આવેલ માતાજીના મઢમાં અષાઢી બીજ નિમિત્તે સાફ-સફાઈ કરી રહ્યો હતો દરમિયાન અચાનક તેને ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે હાજર રહેલા ડોક્ટરે તેને જોઈ તપાસીને તે યુવાનને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

આવી જ રીતે મોરબી શહેરના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની સામેના ભાગમાં મહિપતસિંહ ઝાલાના મકાનમાં ભાડે રહેતા અશોકભાઈ જયંતીલાલ ઉઘરેજા જાતે કોળી (55) નામના આધેડને પાંજરાપોળ સામે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાઇક સ્લીપ

મોરબીમા વાવડી ચોકડી નજીક આવેલ મગરની વાડી ખાતે રહેતા દયારામ દેવજીભાઈ કંઝારીયા (27) નામનો યુવાન વાવડી ચોકડી નજીકથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાની ઘટના બની હતી જેમાં તેને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં તેને હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.








Latest News