ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં ચક્કર આવતા પડી ગયેલ યુવાન-છાતીમાં દુખાવો ઉપાડતા આધેડનું મોત


SHARE













મોરબીમાં ચક્કર આવતા પડી ગયેલ યુવાન-છાતીમાં દુખાવો ઉપાડતા આધેડનું મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ સોસાયટીમાં ઘર પાસે માતાજીના મઢમાં યુવાન સફાઈ કરી રહ્યો હતો ત્યારે ચક્કર આવતા પડી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાને મૃત જાહેર કર્યો હતો. આવી જ રીતે મોરબીના લીલાપર રોડ ઉપર આધેડને છાતીમાં દુખાવો ઉપડતાં સારવારમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેરકર્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ સોસાયટીમાં રહેતો હિમાંશુ મહેશભાઈ નકુમ (28) નામનો યુવાન પોતાના ઘરની બાજુમાં આવેલ માતાજીના મઢમાં અષાઢી બીજ નિમિત્તે સાફ-સફાઈ કરી રહ્યો હતો દરમિયાન અચાનક તેને ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે હાજર રહેલા ડોક્ટરે તેને જોઈ તપાસીને તે યુવાનને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

આવી જ રીતે મોરબી શહેરના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની સામેના ભાગમાં મહિપતસિંહ ઝાલાના મકાનમાં ભાડે રહેતા અશોકભાઈ જયંતીલાલ ઉઘરેજા જાતે કોળી (55) નામના આધેડને પાંજરાપોળ સામે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાઇક સ્લીપ

મોરબીમા વાવડી ચોકડી નજીક આવેલ મગરની વાડી ખાતે રહેતા દયારામ દેવજીભાઈ કંઝારીયા (27) નામનો યુવાન વાવડી ચોકડી નજીકથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાની ઘટના બની હતી જેમાં તેને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં તેને હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News