મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર રોડે ખૂંટીયા સાથે બાઇક આથડાતા યુવાનનું મોત


SHARE













ટંકારાના અમરાપર રોડે ખૂંટીયા સાથે બાઇક આથડાતા યુવાનનું મોત

ટંકારા તાલુકાનાં અમરાપર રોડ ઉપરથી યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે તેના બાઈકની આડે ખૂંટિયા આવ્યો હતો જેથી કરીને ખૂંટીયા સાથે બાઇક અથડાયુ હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાઇક લઈને જઇ રહેલા હજનાળી ગામના યુવાનનું મોત નીપજયું છે જે બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી છે.

મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં રજડતા ઢોરનો ત્રાસ છે અને અવાર નવાર નાના મોટા અકસ્માતો રજડતા ઢોરના લીધે થતાં હોય છે તેવામાં મોરબીના હજનાળી ગામે રહેતો દેવશીભાઈ ઓધવજીભાઈ ધંધુકિયા (૩૫) નામનો યુવાન ટંકારાના અમરાપર રોડ ઉપરથી બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈક આડે ખુટિયો આવ્યો હતો જેથી કરીને તેની સાથે બાઇક અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ગંભીર અકસ્માત થવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી આ યુવાનના મૃતદેહને ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.








Latest News