લાલબતી: મોરબીમાં મોજશોખ પૂરા કરવા રૂપિયા ન મળતા યુવાને આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું
મોરબીના બેલા પાસે પાણીના વોકળામાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના બેલા પાસે પાણીના વોકળામાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ પાણીના વોકળામાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું. જેથી તેના બોડીને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામે હાલ રહેતા રાકેશભાઈ ભચકભાઈ આદિવાસી (32) નામનો યુવાન બેલા ગામની સીમમાંથી પસાર થતા પાણીના વોંકળામાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના બોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે.
બાઇક સ્લીપ
મોરબી નજીકના રંગપર ગામે રહેતા ઓધવજીભાઈ ગંગારામભાઈ અઘારા (65) નામના વૃદ્ધ બેલા અને તળાવિયા સનાળા ગામ વચ્ચેના રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થતા હતા. ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો. જેથી તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી.