વાંકાનેર-રાજકોટ હાઇવે પરના ટાટીયા તોડ સ્પીડ બ્રેકરો જીવલેણ બને તે પહેલા તંત્ર સફેદ પટ્ટા-રેડિયમ રિફલેકટર મૂકવાની માંગ મોરબીમાં નવલખી ફાટક પાસેથી દારૂ ભરેલ ગાડી સાથે મહિલા પકડાઈ, 4.30 લાખનો મુદામાલ કબ્જે: એક આરોપીની શોધખોળ મોરબીમાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી: પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો ૭ દિવસમાં પોલીસ સ્ટેશનમાં આપવા જાહેનામું પ્રસિદ્ધ મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસીસનું આયોજન કરાયું મોરબી: ગુજરાતમાં પીટીસીમાં એડમીશન માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન પરેશાન
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે પીએસસી દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ , ચિકનગુનિયા, ચંદીપુરા જેવા રોગો અટકાયતી ઝુંબેશ


SHARE



















વાંકાનેરના સિંધાવદર ગામે પીએસસી દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ , ચિકનગુનિયા, ચંદીપુરા જેવા રોગો અટકાયતી ઝુંબેશ

સિંધાવદર પીએસસીના કુલ ફિલ્ડ સ્ટાફ 6 MPHW ભાઈઓ, 6 FHW બહેનો, 6 CHO અને 26 આશા બહેનો મળીને 44 પેરમેડીકલ સ્ટાફ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયા તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર વલીભાઈ માથકીયાની સૂચનાથી ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવવા સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મેડિકલ ઓફિસર ભાવિકા ચંદારાણા અને સુપરવાઇઝર એચ.એમ.મકવાણાના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી ઘરે ઘરે જઈ તાવના કેસ શોધી સારવાર આપવી, મચ્છરના પોરા(લાર્વા)નાશક દવા નાખવી, નકામા પાણીના પત્રોનો નિકાલ, પત્રિકા વિતરણ, પાણીના ખાડા ખાબોચિયામાં બળેલું ઓઇલ અને BTI દવાઓનો છટકાવ કર્યો છે. હાલમાં બાળકોમાં જોવા મળતો ચાંદીપુરા વાયરસજન્ય રોગના ફેલાવા બાબતે લેવાની કાળજી, ગામમાં જંતુનાશક ડસ્ટીંગ કામગીરી, તેમજ ગ્રામજનોને આ રોગ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે ક્લોરિનેશન ટેસ્ટિંગ કામગીરી કરવામાં આવી રહી છે. પાણીમાં નાખવાની ક્લોરિન ગોળીનું ઘરે ઘરે વિતરણ, પાણીને ઉકાળીને પીવું, કંઈ ઇમરજન્સીમાં તત્કાલ ક્યાં દાખલ થવું વગેરે બાબતો અંગેની આરોગ્ય શિક્ષણ આપીને ચોમાસામાં ફેલાતા રોગચાળા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે.






Latest News