એકાદશી નિમિતે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ અને છાશનું વિતરણ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં વધુ બે વ્યાજખોરોની ધરપકડ : ૭ પૈકી ૫ પકડાયા મોરબીના સિરામિક, પેપરમિલ અને ટેક્સટાઈલ સહિત ઔદ્યોગિક એકમોની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કરી મુલાકાત મોરબીમાં મિનરલ્સના કારખાનેદારોને રાજસ્થાના ખનીજ માટે રોયલ્ટીના નામે હેરાન કરવાનું બંધ કરો: કલેકટરને કરી રજૂઆત મોરબી મહાનગરપાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સૂન એક્શન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ મોરબી શહેર-જીલ્લામાં લાયકાત વગરના બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ: વેંચતા લીધેલા પ્રેસ કાર્ડ તાત્કાલિક જમા કરાવવા ડીવાયએસપીની તાકીદ મોરબી મહાપાલિકાની એક પણ સમિતિમાં પદ સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોનો ઇન્કાર: જીલ્લા પ્રમુખને કરી રજૂઆત માળીયા (મી)ના ખાખરેચી ગામે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વર્ષામેડી નજીક ટ્રક પાછળ ટ્રક અથડાવનાર વાહન ચાલકનું મોત


SHARE











માળીયા (મી)ના વર્ષામેડી નજીક ટ્રક પાછળ ટ્રક અથડાવનાર વાહન ચાલકનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર વર્ષામેડી નજીક રોડ સાઈડમાં ટ્રક ટ્રેલર ઉભા હતા ત્યારે રસ્તામાં બંધ પડેલા ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં અન્ય ટ્રકના ચાલકે પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માત સર્જનાર યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કીર્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ધર્મમેઘ કોમ્પલેક્ષના બીજા માળે રહેતો મુન્નાકુમાર રાજેન્દ્રપ્રસાદ ખરવાર (23)એ અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલ ભુપતભાઈ નરશીભાઈ ધોળકિયા રહે. દેવગઢ તાલુકો માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના નવલખી રોડ ઉપર વર્ષામેડી ફાટક પહેલા આરોપી પોતાના હવાલા વાળો ટ્રક ટ્રેલર નંબર જીજે 36 ટી 9995 લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં રોડની સાઈડમાં ટ્રકની લાઈન હતી અને ત્યારે ટ્રક ટ્રેલર નંબર જીજે 5 બીવી 2219 ના ઠાઠામાં આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને તે ટ્રક આગળના બીજા ટ્રકના ઠાઠામાં અથડાતા ત્રણ વાહનો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ભુપતભાઈ નરશીભાઈ ધોળકિયા (47)ને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News