બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વર્ષામેડી નજીક ટ્રક પાછળ ટ્રક અથડાવનાર વાહન ચાલકનું મોત


SHARE











માળીયા (મી)ના વર્ષામેડી નજીક ટ્રક પાછળ ટ્રક અથડાવનાર વાહન ચાલકનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર વર્ષામેડી નજીક રોડ સાઈડમાં ટ્રક ટ્રેલર ઉભા હતા ત્યારે રસ્તામાં બંધ પડેલા ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં અન્ય ટ્રકના ચાલકે પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માત સર્જનાર યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કીર્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ધર્મમેઘ કોમ્પલેક્ષના બીજા માળે રહેતો મુન્નાકુમાર રાજેન્દ્રપ્રસાદ ખરવાર (23)એ અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલ ભુપતભાઈ નરશીભાઈ ધોળકિયા રહે. દેવગઢ તાલુકો માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના નવલખી રોડ ઉપર વર્ષામેડી ફાટક પહેલા આરોપી પોતાના હવાલા વાળો ટ્રક ટ્રેલર નંબર જીજે 36 ટી 9995 લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં રોડની સાઈડમાં ટ્રકની લાઈન હતી અને ત્યારે ટ્રક ટ્રેલર નંબર જીજે 5 બીવી 2219 ના ઠાઠામાં આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને તે ટ્રક આગળના બીજા ટ્રકના ઠાઠામાં અથડાતા ત્રણ વાહનો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ભુપતભાઈ નરશીભાઈ ધોળકિયા (47)ને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News