મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો મોરબીના નીચી માંડલ ગામે રહેતી યુવતી ગુમ મોરબીમાં ડીવાયએસપીના નામે યુવાનને ડરાવી-ધમકાવીને 30 હજાર રૂપિયા પડાવવાના ગુનામાં ત્રણ શખ્સ સામે કાર્યવાહી મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, ધારિયા વડે થયેલ હુમલાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ મોરબીમાં સાળા-સસરા વચ્ચે ચાલતા જમીન માટેના ઝઘડામાં ભત્રીજાને વચ્ચે ન રાખવાનું કહેતા આધેડ અને તેના ભાઈ ઉપર મહિલાઓ સહિત 23 લોકોનો હુમલો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જુદીજુદી બે સંસ્થા દ્વારા બાળાઓને શૈક્ષણિક કિટ અપાઈ ટંકારા તાલુકામાં મંદિર ચોરીના ગુન્હામાં ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપી પકડાયો
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા મહારેલી સાથે સિંહ ગર્જનાનો કાર્યક્રમ યોજાયો


SHARE















મોરબી એબીવીપી દ્વારા મહારેલી સાથે સિંહ ગર્જનાનો કાર્યક્રમ યોજાયો

મોરબી એબીવીપી દ્વારા ઊમિયા સર્કલથી ઓમવીવીઆઇએમ કોલેજ સુધીની રેલી સાથે સિંહ ગર્જનાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબીની પી.જી. પટેલ કોલેજ, ઓમવીવીઆઇએમ કોલેજ, નવયુગ કોલેજ તેમજ યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજની કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. અને જેમાં પી.જી.પટેલ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે બ્રિજરાજસિંહ ઝાલા અને મંત્રી તરીકે જયરાજસિંહ જાડેજા, ઓમવીવીઆઇએમ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે હર્ષભાઈ ડાંગર અને મંત્રી તરીકે રમેશભાઈ આહીર, નવયુગ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે યશભાઈ મકાસણા અને મંત્રી તરીકે મિતભાઈ મનીપરા, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે આર્યદીપસિંહ રાઠોડ અને મંત્રી તરીકે જીજ્ઞેશભાઈ સોલંકી સહિતની કારોબારીની રચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. અને આગામી સમયમાં કોલેજ કારોબારીની ઘોષણા કરવામાં આવશે તેવું આગેવાને જણાવ્યુ છે.






Latest News