મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મસભાનું આયોજન


SHARE











મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મસભાનું આયોજન

મોરબીના વાંકાનેર હાઈવે પર સરતાનપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી તા. 20 ઓક્ટોબરને રવિવારના રોજ બપોરે 3 થી 7 માં આ કાર્યક્ર્મ યોજાશે જેમાં ગૌ દર્શન, જલ દર્શન અને વન દર્શનનો લાભ લેવા માટે લોકોને આયોજકોએ આમંત્રણ આપેલ છે.

મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની હાજરીમાં ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મસભામાં રાજકીય, સામાજિક આગેવાનો તેમજ અધિકારીઓ સહિતના હાજર રહેશે જેથી કરીને આ ધર્મ સભાનો લાભ લેવા માટે અને મહાપ્રસાદનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે વધુમાં મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઇ પટેલ (બોસ)એ જણાવ્યુ છે કે, આજની તારીખે મોરબીની મોરબી પાંજરાપોળમાં ૪૫૦૦ થી વધુ ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને તેના માટે મોરબીના ઉદ્યોગકારો તરફથી ખૂબ જ સહકાર આપવામાં આવે છે તેમજ જુદીજુદી સંસ્થાઓ તરફથી પણ આર્થિક સહકાર આપવામાં આવે છે તેમજ મોરબીમાં દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે જુદાજુદા સ્થળે સ્ટોલ રાખવામા આવે છે ત્યાં જઈને દાતાઓ સહિતના નગરજનો તરફથી લખો રુપિયાનું દાન આપવામાં આવે છે. આમ મોરબી સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી દર વર્ષે મોરબી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે લાખો રૂપિયાનું દાન આપવામાં આવે છે. જેના થકી મોરબીની પાંજરાપોળના ગૌવંશોની સેવા અને નિભાવ કરવામાં આવે છે.






Latest News