મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને 30 લાખની સામે 1.45 કરોડ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ !: બે સામે ફરિયાદ હળવદના ચુપણી ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીના કૌટુંબિક ભાઈજીને ધોકા વડે માર માર્યો: મારી નાખવાની ધમકી હળવદના ડુંગરપુર ગામે પ્રેમ લગ્ન કરનાર બહેનને ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના રણમલપુર ગામનો બનાવ: મૈત્રી કરાર કરનાર યુગલે ઝેરી દવા પી લેતા યુવતીનું સારવારમાં મોત મોરબીના જોધપર નદી ગામના જાપા પાસેથી ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત  
Breaking news
Morbi Today

મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મસભાનું આયોજન


SHARE







મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મસભાનું આયોજન

મોરબીના વાંકાનેર હાઈવે પર સરતાનપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી તા. 20 ઓક્ટોબરને રવિવારના રોજ બપોરે 3 થી 7 માં આ કાર્યક્ર્મ યોજાશે જેમાં ગૌ દર્શન, જલ દર્શન અને વન દર્શનનો લાભ લેવા માટે લોકોને આયોજકોએ આમંત્રણ આપેલ છે.

મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની હાજરીમાં ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મસભામાં રાજકીય, સામાજિક આગેવાનો તેમજ અધિકારીઓ સહિતના હાજર રહેશે જેથી કરીને આ ધર્મ સભાનો લાભ લેવા માટે અને મહાપ્રસાદનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે વધુમાં મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઇ પટેલ (બોસ)એ જણાવ્યુ છે કે, આજની તારીખે મોરબીની મોરબી પાંજરાપોળમાં ૪૫૦૦ થી વધુ ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને તેના માટે મોરબીના ઉદ્યોગકારો તરફથી ખૂબ જ સહકાર આપવામાં આવે છે તેમજ જુદીજુદી સંસ્થાઓ તરફથી પણ આર્થિક સહકાર આપવામાં આવે છે તેમજ મોરબીમાં દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે જુદાજુદા સ્થળે સ્ટોલ રાખવામા આવે છે ત્યાં જઈને દાતાઓ સહિતના નગરજનો તરફથી લખો રુપિયાનું દાન આપવામાં આવે છે. આમ મોરબી સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી દર વર્ષે મોરબી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે લાખો રૂપિયાનું દાન આપવામાં આવે છે. જેના થકી મોરબીની પાંજરાપોળના ગૌવંશોની સેવા અને નિભાવ કરવામાં આવે છે.






Latest News