મોરબીમાં એપાર્ટમેન્ટ-ઓફિસમાં જુગારની બે રેડ: પાંચ મહિલા સહિત 22 લોકો જુગાર રમતા પકડાયા, 2.07 લાખની રોકડ કબ્જે મોરબીમાં 550થી વધુ બાળકોને બટુક ભોજન કરાવીને જન્મ દિવસની ઉજવણી કરતાં બાબુભાઇ પરમાર મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ મોરબીમાં પાણી સપ્લાઈ માટેના બે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મોરબી જિલ્લામાં ઈન્ટરનેશનલ ડે અગેઈન્ટસ ડ્રગ્સ અબ્યુસ એન્ડ ઈલ્લીકીટ ટ્રાફીકીંગ દિવસની ઉજવણી કરાઈ વાંકાનેરના સરતાનપર પાસે ટ્રક હડફેટ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ મોરબીના વેપારી યુવાન સાથે 1.51 કરોડના ફ્રોડના ગુનામાં દહેરાદુન-દિલ્હીથી વધુ ત્રણ આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવાયા
Breaking news
Morbi Today

મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મસભાનું આયોજન


SHARE















મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મસભાનું આયોજન

મોરબીના વાંકાનેર હાઈવે પર સરતાનપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી તા. 20 ઓક્ટોબરને રવિવારના રોજ બપોરે 3 થી 7 માં આ કાર્યક્ર્મ યોજાશે જેમાં ગૌ દર્શન, જલ દર્શન અને વન દર્શનનો લાભ લેવા માટે લોકોને આયોજકોએ આમંત્રણ આપેલ છે.

મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની હાજરીમાં ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મસભામાં રાજકીય, સામાજિક આગેવાનો તેમજ અધિકારીઓ સહિતના હાજર રહેશે જેથી કરીને આ ધર્મ સભાનો લાભ લેવા માટે અને મહાપ્રસાદનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે વધુમાં મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઇ પટેલ (બોસ)એ જણાવ્યુ છે કે, આજની તારીખે મોરબીની મોરબી પાંજરાપોળમાં ૪૫૦૦ થી વધુ ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને તેના માટે મોરબીના ઉદ્યોગકારો તરફથી ખૂબ જ સહકાર આપવામાં આવે છે તેમજ જુદીજુદી સંસ્થાઓ તરફથી પણ આર્થિક સહકાર આપવામાં આવે છે તેમજ મોરબીમાં દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે જુદાજુદા સ્થળે સ્ટોલ રાખવામા આવે છે ત્યાં જઈને દાતાઓ સહિતના નગરજનો તરફથી લખો રુપિયાનું દાન આપવામાં આવે છે. આમ મોરબી સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી દર વર્ષે મોરબી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે લાખો રૂપિયાનું દાન આપવામાં આવે છે. જેના થકી મોરબીની પાંજરાપોળના ગૌવંશોની સેવા અને નિભાવ કરવામાં આવે છે.






Latest News