મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ


SHARE





મોરબીમાં વાલ્મીકિ જયંતિએ ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ

મોરબીમાં વાલ્મીકિ જયંતિના પાવન અવસરે ભીમસરમાં હનુમાન ચાલીસા પઠન કેન્દ્રનો શુભારંભ પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઈ ભાડેસિઆના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ લાલબાગ ઉપનગર સેવાવિભાગ/સામાજિક સમરસતા મંચ દ્વારા વાલ્મીકિ સમાજના ભાઈઓ અને બહેનોની હાજરીમાં કરવામાં આવેલ હતો. આ પ્રસંગે ડો.જયંતિભાઈ ભાડેસિઆએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું અને વાલ્મીકિ પૂજન કર્યું હતું. આ કાર્યક્રમની સફળતા માટે લાલજીભાઈ કુનપરા, રાજુભાઈ વિરમગામા, દિનેશભાઈ વિડજા સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આગામી દિવસોમાં આ વિસ્તારમાં એક સંસ્કાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે. જે અંગે લલિતભાઈ પાંડે, વસંતભાઈ આહીર, જીતુભાઈ પરમાર, બકુલભાઈ, મહેન્દ્રભાઈ સહિતના જહેમત કરી રહ્યા છે આ તકે ભીમસરના અગ્રણીઓ મહેશભાઈ પરમાર, વિપુલભાઈ ઝાલા સહિતના હાજર રહ્યા હતા




Latest News