મોરબીના લખધીરવાસ અને રાષ્ટ્રીય શાળાના બાળકો માટે કેમ્પ યોજાયા
SHARE
મોરબીના લખધીરવાસ અને રાષ્ટ્રીય શાળાના બાળકો માટે કેમ્પ યોજાયા
મોરબીના ડો.હસ્તીબેન મહેતા દ્વારા એક દિવસીય કેમ્પ કરવામાં આવે છે ત્યારે માતુ સ્વ.શારદાબેન ચંદુલાલભાઈ શાહ હસ્તે સુપુત્ર ઉમેશભાઈ શાહ (બેંગલોર) દ્વારા લખધીરવાસ પ્રાથમિક શાળા દરબાર ગઢ, મોરબી. તેમજ સ્વ.નર્મદાબેન વી.રાવલના ભત્રીજીઓ સ્વ.મનીષા, દર્શના, કૌશીકા તથા તોશા રાવલ દ્વારા એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે કેમ્પ રાષ્ટ્રીય પ્રાથમિક શાળા મોરબી ખાતે યોજાયો હતો આ તકે ડો. સુરેશભાઈ કાલરીયા આંખના નંબર ચેક કર્યા હતા તેમજ લોકોની આંખ ચેક કરી આપી હતી અને ડો. પ્રતીકભાઈ સોલંકીએ બાળકોના દાંત ચેક કર્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે લખધીરવાસ શાળાના આચાર્ય નયનભાઈ ભોજાણી સહિતની ટિમ તેમજ રાષ્ટ્રીય શાળાના આચાર્યા ચંદ્રલેખા મેહતા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.