મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

​​​​​​​વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ-સ્નેહમિલન યોજાયું


SHARE











વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ-સ્નેહમિલન યોજાયું

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષના પ્રારંભે શાકોત્સવ - સ્નેહમિલન આધ્યાત્મિક પ્રવચન યોજવામાં આવ્યું હતું. વાંકાનેરનાં રાજકોટ માર્ગ પર મિની હિલ સ્ટેશન પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતાં, ભગવાન સ્વામિનારાયણનાં સમયથી શાકોત્સવની પરંપરા યથાવત્ છે, સાથે બીએપીએસ સંસ્થાનાં વિદ્વાન સંત શ્રીરંગ સ્વામીનું આધ્યાત્મિક પ્રવચન યોજાયું હતું, જેઓએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે જીવનમાં આર્થીક ઉપાર્જન પ્રવૃત્તિઓ સાથે આધ્યાત્મિકતા પણ અનિવાર્ય છે, જીવનમાં વિનમ્રતા રાખવી, દાસ થાય છે એ પાસ થાય છે અને બોસ થવા જાય છે એ મોટે ભાગે લોસ થાય છે, પૂજ્ય પ્રમુખસ્વામી સાથે ખૂબ વિચરણ કર્યું છે તેવા શ્રીરંગ સ્વામીએ વધુ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામીને દેશ દુનિયામાં ખૂબ માન સમ્માન મળ્યા હતાં, અને અપમાન પણ એટલા થયાં હતાં છતાં ક્યારેય વિચલિત થયા ન હતાં, જીવનમાં દરેક પરિસ્થિતિમાં સ્થિર રહેવું તેમ અનેક પ્રેરક વાતો કહી હતી મોરબી ક્ષેત્રનાં  ખંતીલા સંત નિર્દેશક   હરિસ્મરણ સ્વામી સહિત વાંકાનેર સત્સંગ મંડળ દ્વારા શ્રીરંગ સ્વામીનો આભાર વ્યક્ત કરાયો હતો, સમગ્ર આયોજન સફળ બનાવવા વાંકાનેર સત્સંગ મંડળનાં પાયાનાં અગ્રણી ઉર્મિલાબેન પ્રવીણચંદ્ર આશર, જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી, સુમિતભાઈ ત્રિવેદી, મહિલા મંડળ, યુવતી મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News