મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું


SHARE











વાંકાનેરમાં આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર તાલુકાના આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પડતર પ્રશ્નો અંગે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા લાંબા સમયથી વિવિધ પ્રશ્નો અંગે માંગ કરવામાં આવી રહી છે છતાં હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા વાંકાનેર તાલુકાના આંગણવાડી સંગઠન દ્વારા વધુ એક આવેદન પત્ર અપાયું હતું, જેમાં કરવામાં આવેલ માંગો મુજબ રાજ્યભરમાં એક લાખ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો લાંબા સમયથી રાજ્ય સરકાર સમક્ષ વિવિધ પ્રશ્ને માંગ કરી રહ્યા છે જેમાં મન કી બાતમાં કોરોના રસીકરણનાં 100 કરોડ ટાર્ગેટ પૂરો થયાની વડાપ્રધાને પ્રશંસા કરી હતી પરંતુ આંગણવાડી બહેનોને કોરોના કામગીરીનું કોઈ જ વળતર ચૂકવવામાં આવ્યું નથી, આ ઉપરાંત નિવૃત્તિ વય મર્યાદા સબબ તથા કોરોના મહામારીમાં અવસાન પામેલ બહેનોને વળતર ચૂકવવા સહિત અનેક મુદ્દે વિવિધ માંગો સાથેનું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.






Latest News