હળવદના ઇંગોરાળા ગામે ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
SHARE
હળવદના ઇંગોરાળા ગામે ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીરાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યાં ચાલુ દરમિયાન તે સગીરાનુ મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના ધાર જિલ્લાના પટેલપુરાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સુનિતા ગટુભાઈ સિંગાર (17)એ ગત તા. 8/1 ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવારમાં તે સગીરાનુ મોત નીપજયું હતું જેથી આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે
યુવતી સારવારમાં
મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ વિજયનગરમાં રહેતા જાનવીબેન વલ્લભભાઈ જેતપરિયા (24) નામની યુવતીને તેના ઘર પાસે અજાણીકારના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવતીને ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.