મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થતા યુવાને ન કરવાનું કરી નાખ્યુ


SHARE













મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડે પોલો સર્કલ પાસે આવેલ કારખાનાના લેબર કવાર્ટરની અંદર યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર પોલો સર્કલ પાસે આવેલ ઉમા કટીંગ ઝોન નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો અનિલભાઈ ગોપાલભાઈ (30) નામનો યુવાન લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલને લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈ શિવલાલભાઈ ગોપાલભાઈ (32) રહે. મૂળ મધ્ય પ્રદેશ હાલ રહે મોટો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં સરતાનપર રોડ ઉપર મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેના પત્ની સાથે નાની નાની બાબતોમાં બોલાચાલી ઝઘડો થતો હતો જેથી તેને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News