મોરબીના ઘુંટુ રોડે મોરેશ્વર મહાદેવ મંદિર ખાતે પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો
મોરબી PGVCL સ્ટાફ માટે આયુષ હોસ્પિટલ દ્વારા CPR તાલીમનું આયોજન કરાયું
SHARE
મોરબી PGVCL સ્ટાફ માટે આયુષ હોસ્પિટલ દ્વારા CPR તાલીમનું આયોજન કરાયું
મોરબી પીજીવીસીએલના તમામ કર્મચારીઓને આયુષ હોસ્પિટલ દ્વારા CPR અને Hand hygiene ની તાલીમ આપવામાં આવી હતી અને સારા સ્વાસ્થ્ય માટેના મહત્વના મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ હેલ્થ ટોકમાં આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. લોકેશ ખંડેલવાલ અને ઓર્થો સર્જન ડૉ. યોગેશ ગઢવી તેમજ ઇમર્જન્સી ડૉ ટીમ દ્વારા કર્મચારીઓને તાલીમ આપી સારા સ્વાસ્થ્યની ખાતરી આપી હતી. આ તકે પીજીવીસીએલના અધિકારી ડી.આર. ગઢીયા અને સી.એસ.રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 120 થી વધારે કર્મચારીઓએ ભાગ લીધો હતો