મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટીબીના ૪૦ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું


SHARE













ટંકારા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટીબીના ૪૦ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

મોરબી જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.અજાણાના માર્ગદર્શન અનુસાર અને ટંકારા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.બાવરવાના સક્રિય પ્રયત્નો થકી ટંકારા તાલુકામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને બાલાજી પોલિપેક લધીરગઢના સહયોગ થકી ૪૦ જેટલા ટીબીના દર્દીઓને એક વર્ષ સુધી દતક લેવામાં આવ્યા છે. તેમજ તેઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓની ભાગીદારીથી કેન્દ્ર સરકારના ‘’ટીબી મુક્ત ભારત અભિયાન” માં સક્રિય સહકાર મળી રહ્યો છે. આ પોષણ કીટ થકી ટીબીના દર્દીઓના પોષણમાં સુધારો થાય છે, બીમારીમાં ક્વીક રિકવરી મળે છે તેમજ રોગનો ફેલાવો અટકાવવામાં મદદ મળી રહે છે.સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન બદલ તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ, તાલુકા ટીબી સુપરવાઈઝર પ્રતિકભાઈ દેવમુરારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર એમ.એસ.મોસત અને બાલાજી પોલિપેકમાંથી જગદીશભાઈ પાનારાએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર: જીગ્નેશ ભટ્ટ દ્વારા)








Latest News