મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટન કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો


SHARE











મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટન કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો

મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને જુદીજુદી કોર્ટના ચૂકડાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવા માટેનો આદેશ કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ ફરીયાદી ભરતભાઈ કારાભાઈ બાલસએ આરોપી રોહીતભાઈ ચતુરભાઈ સામે ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ૫,૦૦,૦૦૦ રૂપિયા પુરા લેણી રકમ મેળવવા નામદાર ચીફ કોર્ટમાં ચેક રીર્ટન થયા અંગેની ફરીયાદ કરેલ હતી. ત્યારબાદ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે મોરબીના યુવા વકીલ અલ્પેશ પી. હાલપરાએ કોર્ટમાં પુરાવાઓ તથા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સાથે રાખી ધારદાર દલીલો કરી હતી. જે દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી રોહીતભાઈ ચતુરભાઈ હાલપરાને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. જે કેસમાં આરોપી તરફે યુવા વકીલ અલ્પેશ પી. હાલપરા તથા સુરેશ આર. વાધાણી રોકાયેલ હતા.





Latest News