મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનો કાર્યક્રમ યોજાયો

23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર જુદી જુદી જગ્યાએ જુદી જુદી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહીદ દિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે અને ખાસ કરીને દેશભક્તિને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ગઈકાલે મોરબીના રવાપર ગામ પાસે આવેલ ન્યુ એરા સ્કૂલ પાસે અગાઉ જ્યાં જાણતા રાજા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું તે રાયગઢ કિલ્લા શિવાજી મહારાજ મહાનાટક મેદાન રવાપર ઘુનડા રોડ ખાતે કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનું આયોજન માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેને માણવા માટે થઈને મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા અને આ તકે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા કે જે દેશભરમાં જાણીતી છે તેમની દીકરીઓ દ્વારા દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કવિ સંમેલન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં હર્ષિદાબેન ત્રિવેદી, દીપકભાઈ ત્રિવેદી, ડો. મુકેશભાઈ જોશી, શૈલેષભાઈ પંડ્યા, દિનેશભાઈ કાનાણી, પારસભાઈ હેમાણી, રાકેશભાઈ હાંસલિયા અને ડો. રામભાઈ વારોતરીયા દ્વારા તેઓની કવિતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને આ તકે આગામી સમયમાં મોરબીમાં જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેની પણ જાહેરાત કરવામાં આવી હતી






Latest News