મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં બુધવારે વિકાસકામોના લોકાર્પણ-ખાતમહુર્ત કરાશે


SHARE











મોરબીના રવાપર ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં બુધવારે વિકાસકામોના લોકાર્પણ-ખાતમહુર્ત કરાશે

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત માટેનો કાર્યક્રમ યોજવાનો છે અને આ કાર્યક્રમ તા. 26 ને બુધવારે બપોરના 2 વાગ્યે યોજાશે જેમાં મોરબી શહેર અને જિલ્લામાંથી લોકોની મોટી જનમેદની હાજર રહે તેના માટે થઈને ભાજપની જુદી જુદી ટીમો તથા તંત્ર કામે લાગી ગયું છે.

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે તા 26 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર અને જિલ્લામાં કુલ મળીને અંદાજે 1000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવનાર છે આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ભાજપના સંગઠન દ્વારા ધારાસભ્યોની હાજરીમાં જુદા જુદા મંડલોની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની સાથો સાથ વહીવટી તંત્ર દ્વારા પણ આ કાર્યક્રમને લઈને તૈયારીઓ કરવામાં આવેલ છે. વધુમાં આયોજકો પાસેથી મળતી માહિતી મુજબ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે તા. 26 ના રોજ બપોરે 2:00 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવવાના છે. જોકે એક બાજુ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેવા સમયે બપોરે મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજવાનો છે જેથી કાર્યક્રમમાં જનમેદની એકત્રી કરવા માટે થઈને ભાજપની જુદી જુદી ટીમો કામે લાગી છે અને તો બીજી બાજુ કાર્યકર સારી રીતે સંપન્ન થાય તેના માટે થઈને કલેકટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.






Latest News