મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર અને માળીયાના નાનીબરાર ગામની શાળાના વિદ્યાર્થીઓનો NMMS પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ


SHARE













ટંકારાના વીરપર અને માળીયાના નાનીબરાર ગામની શાળાના વિદ્યાર્થીઓનો NMMS પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધો. 8 ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વિરપર પ્રાથમિક પ્રાથમિક શાળામાંથી ધો. 8 ના કુલ 13 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. આવી જ રીતે નાનીબરાર તાલુકા શાળાના 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરેલ છે.

માળીયા(મિ) તાલુકાની નાની બરાર તાલુકા શાળાના ધોરણ 8 ના કુલ 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી 9 વિદ્યાર્થીઓએ ખૂબ સારા માર્કસ સાથે આ પરીક્ષા પાસ કરેલ છે. જેમાં નેરા સુહાના, ચાવડા પ્રણાલી, ધોળકિયા પ્રિયા, નેરા મુસ્કાન, ડાંગર બંશ્રી, બકુત્રા મમતા, હેગલીયા આરતી, ટોરીયા કરણ અને કોઠીવાર મહિપતનો સમાવેશ થાય છે. જેથી શાળાના આચાર્ય અવનીબેન પંડ્યા સહિતના સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. તો ટંકારા તાલુકાનાં વિરપર ગામની પ્રાથમિક શાળાના ધો. 8 ના કુલ 13 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. જેમાંથી 12 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે જેમાં નિલેશ રમેશભાઈ માલકીયા, એરામફાતમા મુસ્તાકભાઈ અન્સારી, કેવિન કુમાર વિનોદભાઈ ચાવડા, ધવલ વાલજીભાઈ ઉઘરેજા, માન્યતા જીગ્નેશ ભાઈ ચાવડા, તુષાર રમેશભાઈ રાઠોડ, મોમયો કિશોરભાઈ રાકાણી, નવ્ય જગમાલભાઈ ભુંભરિયા, કલ્પેશભાઈ બાબુભાઈ નલવૈયા, ઈન્દ્રજીતકુમાર રૂપસિંગભાઈ ડામોર, મોહિતભાઈ હિમસિંગભાઈ ડામોરનો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ ગોસરા સહિતના સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવેલ છે.






Latest News