મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર અને માળીયાના નાનીબરાર ગામની શાળાના વિદ્યાર્થીઓનો NMMS પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ


SHARE







ટંકારાના વીરપર અને માળીયાના નાનીબરાર ગામની શાળાના વિદ્યાર્થીઓનો NMMS પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધો. 8 ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વિરપર પ્રાથમિક પ્રાથમિક શાળામાંથી ધો. 8 ના કુલ 13 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. આવી જ રીતે નાનીબરાર તાલુકા શાળાના 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરેલ છે.

માળીયા(મિ) તાલુકાની નાની બરાર તાલુકા શાળાના ધોરણ 8 ના કુલ 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી 9 વિદ્યાર્થીઓએ ખૂબ સારા માર્કસ સાથે આ પરીક્ષા પાસ કરેલ છે. જેમાં નેરા સુહાના, ચાવડા પ્રણાલી, ધોળકિયા પ્રિયા, નેરા મુસ્કાન, ડાંગર બંશ્રી, બકુત્રા મમતા, હેગલીયા આરતી, ટોરીયા કરણ અને કોઠીવાર મહિપતનો સમાવેશ થાય છે. જેથી શાળાના આચાર્ય અવનીબેન પંડ્યા સહિતના સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. તો ટંકારા તાલુકાનાં વિરપર ગામની પ્રાથમિક શાળાના ધો. 8 ના કુલ 13 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. જેમાંથી 12 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે જેમાં નિલેશ રમેશભાઈ માલકીયા, એરામફાતમા મુસ્તાકભાઈ અન્સારી, કેવિન કુમાર વિનોદભાઈ ચાવડા, ધવલ વાલજીભાઈ ઉઘરેજા, માન્યતા જીગ્નેશ ભાઈ ચાવડા, તુષાર રમેશભાઈ રાઠોડ, મોમયો કિશોરભાઈ રાકાણી, નવ્ય જગમાલભાઈ ભુંભરિયા, કલ્પેશભાઈ બાબુભાઈ નલવૈયા, ઈન્દ્રજીતકુમાર રૂપસિંગભાઈ ડામોર, મોહિતભાઈ હિમસિંગભાઈ ડામોરનો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ ગોસરા સહિતના સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવેલ છે.






Latest News