મોરબીમાં ઘર નજીક પગપાળા ચાલીને જતા સમયે પડી ગયેલા વૃદ્ધનું મોત મોરબીની મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 190 થી વધુ લોકોએ કર્યું રક્તદાન મોરબીના મહેન્દ્રનગર ગામે રક્તદાન કેમ્પ યોજાયો: નિવૃત શિક્ષકે કર્યું ૫૭ મી વખત રક્તદાન મોરબી જિલ્લાના વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં દુકાને નાસ્તો લેવા ગયેલ બાળકી સાથે અડપલા કરનાર બેશર્મ વૃદ્ધની અટકાયત મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીના ખાખરાળા ગામે બાઇક અકસ્માત બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીમાં મિલકત વેરો વસૂલ કરવા 2073 મિલકતધારકોને વોરંટની બજવણી કરાઇ
Breaking news
Morbi Today

ટંકારામાં સમસ્ત હિંદુ સમાજની આગેવાની હેઠળ મૌન રેલી યોજાઇ, આતંકીઓને આકરી સજાની માંગ


SHARE















ટંકારામાં સમસ્ત હિંદુ સમાજની આગેવાની હેઠળ મૌન રેલી યોજાઇ, આતંકીઓને આકરી સજાની માંગ

ટંકારામાં આજે સમસ્ત હિંદુ સમાજની આગેવાની હેઠળ મૌન રેલી યોજાઇ હતી અને હુમલાની ઘટનાને વખોડી કાઢીને આરોપીઓને કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે સમગ્ર ભારત દેશની અંદર જમ્મુમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા શહેરની અંદર સમસ્ત હિન્દુ સમાજની આગેવાની હેઠળ આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પટેલ એસોસિએશન તેમજ જુદા જુદા વેપારી એસોસિયેશન સહિતના એસોસિયેશન દ્વારા ટેકો આપવામાં આવેલ હતો અને બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા આ ઉપરાંત ટંકારાના સ્થાનિક લોકો પણ મૌન રેલીમાં મોટા પ્રમાણમાં જોડાયા હતા અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી આ મૌન રેલી નીકળી હતી અને આ રેલીમાં જોડાયેલા લોકો દ્વારા જે શખ્સોએ આતંકી હુમલો કર્યો હતો અને નિર્દોષ લોકોની હત્યા કરેલ છે તેની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને હુમલાની આ ઘટનાને સહુકોઈએ વખોડી કાઢી હતી






Latest News