મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાના ગુનામાં વિધર્મી આરોપીએ જામીન અરજી પરત ખેંચી લેવી પડી


SHARE







મોરબી : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાના ગુનામાં વિધર્મી આરોપીએ જામીન અરજી પરત ખેંચી લેવી પડી

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાના ગુનામાં વિધર્મી આરોપીએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી લેવી પડી હતી. બનાવની વિગત મુજબ ગત તા.13/2/2024 ના રોજ એક ભાઈએ પોતાની સગીર બહેનના અપહરણ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાથમિક તપાસ કરતા મોરબીનો મુસ્લિમ યુવક રમજાન બ્લોચ નામનો ઈસમ સગીરાને લલચાવી, ફોસલાવી પોતાનું નામ છુપાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી જઈ દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવેલ હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરેલ હતો.કોર્ટે આરોપીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપેલ હતો. સમયાંતરે આરોપીએ પોતાના વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી. જે ચાલી જતા આ ફરીયાદીના વકીલે જામીન અરજી સંદર્ભે વાંધાઓ રજુ કરેલા. અને જામીન ન આપવા દલીલો કરી હતી. બન્ને પક્ષોને કોર્ટે સાંભળ્યા હતા. આરોપીની જામીન અરજી રદ થવાની હોઈ, જેથી આરોપીને પોતાની જામીન અરજી પરત લેવાની ફરજ પડી હતી.

આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે, વિઠ્ઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટસના વકીલ ચેતન વિઠ્ઠલાપરા, સાગર સરવૈયા, વિજય વણઝારા, રીતુસિંહ, લવજી ભજગોતર, કિરીટ ગોહિલ, જયદીપ બથવાર, સંજય ચાવડા, એમ. એમ. રાઠોડ, દક્ષાબેન બથવાર તેમજ મદદનીશ તરીકે કિશન ભીમાણી, હિરેન એસ. વિઠ્ઠલાપરા, એસ. સી. વિઠ્ઠલાપરા, હિરેન ખીમસુરીયા, ભાવેશ વોરા, વિનોદ ચૌહાણ, સચિન આર. દેસાઈ રોકાયેલ હતા.






Latest News