મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

બ્લડ બેન્કોમાં રક્તની અછત - વાંકાનેરમાં આવતી કાલે યુધ્ધનાં ધોરણે રક્તદાન કેમ્પનું આયોજન 


SHARE











બ્લડ બેન્કોમાં રક્તની અછત - વાંકાનેરમાં આવતી કાલે યુધ્ધનાં ધોરણે રક્તદાન કેમ્પનું આયોજન 

સૌરાષ્ટ્રની અનેક બ્લડ બેન્કો માં હાલ રક્તની અછત સર્જાઈ છે ત્યારે વાંકાનેર નાં જડેશ્વર રોડ પર આવેલ જસદણ સિરામિક ખાતે આવતીકાલે રક્તદાન કેમ્પનું યુધ્ધનાં ધોરણે આયોજન કરવામાં આવ્યું છે.

હાલ ડેન્ગ્યુના સતત વધતા કેસને કારણે સૌરાષ્ટ્ર ની મોટા ભાગની બ્લડ બેન્કોમાં રક્તની અછત સર્જાઈ છે, ત્યારે માનવ જીંદગી બચાવવા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ, પાટીદાર સેવા સમાજ અગ્રણી અને યુવા ઉદ્યોગપતિ પ્રગ્નેશ ભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પનું યુધ્ધનાં ધોરણે આયોજન કરવામાં આવ્યું છે, હાલની પરિસ્થિતિ જોતાં મોટા ભાગની બ્લડ બેન્કોમાં રક્તની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આવતીકાલે તા. 28 ને રવિવારે વાંકાનેરનાં જડેશ્વર રોડ પર આવેલ જસદણ સિરામિક ખાતે સવારે 10 થી 2 દરમ્યાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે માનવ જીંદગી બચાવવા આવતીકાલે બહોળી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવે અને માનવ જીંદગી બચાવવાનાં આ ભગીરથ સેવા કાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.






Latest News