વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારાના ગજડી ગામે છાતી-પીઠમાં દુખાવો ઉપાડતાં સારવારમાં લઈ જવાતા આધેડનું મોત


SHARE

















ટંકારાના ગજડી ગામે છાતી-પીઠમાં દુખાવો ઉપાડતાં સારવારમાં લઈ જવાતા આધેડનું મોત

ટંકારાના ગજડી ગામે રહેતા આધેડને છાતી અને પીઠમાં દુખાવો થતો હતો જેથી તેને સારવાર માટે પ્રથ્સ્મ ટંકારા અને ત્યાર બાદ વધુ સારવાર માટે મોરબી લઈને આવતા હતા દરમિયાન રસ્તામાં તે આધેડનું મોત નીપજયું હતું જેથી મૃતદેહને પીએ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ગજડી ગામે રહેતા માણસુરભાઈ પાલાભાઈ ડાંગર (50) નામના આધેડને છાતી અને પીઠમાં દુખાવો ઉપાડતા તેઓને ટંકારા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવતા હતા તેવામાં રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું જેથી તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પ્રાથમિક તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એસ.કે. બાલાસરા દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતો તાહિલ ઈકબાલભાઈ ઠાસરીયા (29) નામનો યુવાન માટેલ રોડ ઉપર કારખાનેથી કેન્ટિંગમાં જતો હતો દરમિયાન તેના એકટીવાને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના પંચાસિયાથી વાંકાનેર તરફ જવાના રોડ ઉપર મહદઆરીફ ઈસ્માઈલભાઈ ચૌધરી (13) નામનો તરુણ ઘરેથી વાડીએ જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News