મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા


SHARE

















ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં બંને પક્ષેથી બાળક, મહિલા સહિત કુલ મળીને 10 જેટલા લોકોને ઇજા થયેલ છે જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના હડમતીયા ગામે રહેતા જગદીશભાઈ જીવરાજભાઈ ખાખરીયા (47), રંજનબેન જગદીશભાઈ ખાખરીયા (45), નીતિનભાઈ જગદીશભાઈ ખાખરીયા (24) અને દશરથ જગદીશભાઈ ખાખરીયા (24)ને મારામારીમાં ઈજા થઈ હતી જ્યારે સામે પક્ષેથી ભરત દેવશીભાઈ ખાખરીયા (50), સોનલબેન ચંદ્રેશભાઇ ખાખરીયા (35), લાલજીભાઈ ભરતભાઈ ખાખરીયા (35) વિશાલભાઈ રાજેશભાઈ ખાખરીયા (25), સવિતાબેન વિશાલભાઈ ખાખરીયા (50), રાજેશભાઈ દેવશીભાઈ ખાખરીયા (51), પાર્વતી વિશાલભાઈ ખાખરીયા (7 માસ)ને ઈજાઓ થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મારામારીનો આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે. વધુમાં મારામારીના બનાવમાં ઈજા પામેલા જગદીશભાઈ ખાખરીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમનો નાનો દીકરો દશરથ છાશ લેવા માટે થઈને ઘરેથી બહાર જઈ રહ્યો હતો ત્યારે તેઓના ભાઈજી દેવશીભાઈ રસ્તા વચ્ચે બેઠેલ હતા જેથી તેઓને દૂર જવા માટે દશરથે કહ્યું હતું જે બાબતને લઈને મારામારીનો આ બનાવ બન્યો હતો.




Latest News