વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા


SHARE













ટંકારાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી: બાળક, મહિલા સહિત 10 ને ઇજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે નજીવી વાતમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં બંને પક્ષેથી બાળક, મહિલા સહિત કુલ મળીને 10 જેટલા લોકોને ઇજા થયેલ છે જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના હડમતીયા ગામે રહેતા જગદીશભાઈ જીવરાજભાઈ ખાખરીયા (47), રંજનબેન જગદીશભાઈ ખાખરીયા (45), નીતિનભાઈ જગદીશભાઈ ખાખરીયા (24) અને દશરથ જગદીશભાઈ ખાખરીયા (24)ને મારામારીમાં ઈજા થઈ હતી જ્યારે સામે પક્ષેથી ભરત દેવશીભાઈ ખાખરીયા (50), સોનલબેન ચંદ્રેશભાઇ ખાખરીયા (35), લાલજીભાઈ ભરતભાઈ ખાખરીયા (35) વિશાલભાઈ રાજેશભાઈ ખાખરીયા (25), સવિતાબેન વિશાલભાઈ ખાખરીયા (50), રાજેશભાઈ દેવશીભાઈ ખાખરીયા (51), પાર્વતી વિશાલભાઈ ખાખરીયા (7 માસ)ને ઈજાઓ થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મારામારીનો આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે. વધુમાં મારામારીના બનાવમાં ઈજા પામેલા જગદીશભાઈ ખાખરીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમનો નાનો દીકરો દશરથ છાશ લેવા માટે થઈને ઘરેથી બહાર જઈ રહ્યો હતો ત્યારે તેઓના ભાઈજી દેવશીભાઈ રસ્તા વચ્ચે બેઠેલ હતા જેથી તેઓને દૂર જવા માટે દશરથે કહ્યું હતું જે બાબતને લઈને મારામારીનો આ બનાવ બન્યો હતો.






Latest News