મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત


SHARE

















મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત

મોરબીમાં મનપા દ્વારા માલધારીઓના ઢોર પકડવા માટેની કામગીરી કરવામાં આવે છે અને માલધારીઓ પાસેથી 4 હજાર રૂપિયા જેવો દંડ લેવામાં આવે છે જેથી કરીને માલધારી સમાજના લોકોએ આજે કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદન પત્ર આપીને માલઢોર પકડવાની અને દંડ લેવાની કામગીરી બંધ કરવાની તેમજ તેઓના વાડાઓને કાયદેસર કરી આપવાની માંગ કરેલ છે.

મોરબી માલધારી સમાજના આગેવાન રામજીભાઈ રબારીની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં તેમજ આસપાસના ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી માલધારી સમાજના લોકો રહે છે અને પોતાના માલઢોર રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે, મનપા દ્વારા પશુપાલકને પશુ અંગે લાયસન્સ લેવું ફરજીયાત છે તેવું કહેવામા આવે છે અને લાયસન્સ ત્યારે મળે જયારે તે લોકો પાસે પોતાના માલઢોર રાખવા માટે મિલકત હોય. જો કે, માલધારી પાસે વર્ષોથી તેઓના માલઢોર રાખવા માટે વાડા હોય છે અને તે કાયદેસર કરવા માટે એક નહીં અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ સરકાર દ્વારા તેના માટેનો કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખરાબા તથા ગૌચરની જમીનમાં દબાણ કરવામાં આવેલ છે તે તમામ દબાનોને તાત્કાલીક દૂર કરવાની કાર્યવાહી કરીને માલધારીઓના માલઢોર ત્યાં રાખવા માટે જગ્યા આપવામાં આવે તેમજ માલધારીઓના ઢોર પકડવા માટેની કામગીરી મનપા દ્વારા કરવામાં આવે છે અને માલધારી પાસેથી 4 હજાર રૂપિયા જેવો દંડ લેવામાં આવે છે. જે બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે. અને મોરબીમાં જે જગ્યાએ માલધારી સમાજના વાડાઓ આવેલ છે તે કાયદેસર કરી દેવાની માંગ કરેલ છે.




Latest News