મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ


SHARE

















મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ

મોરબીની પાંજરાપોળમાં 5,700 જેટલા અબોલ જીવનો નિભાવ આજની તારીખે કરવામાં આવે છે જો કે, ચોમાસા દરમ્યાન કોઈ અવ્યવસ્થા ન થાય તેના માટે આગામી બે મહિના સુધી કોઈ પશુ પાંજરાપોળમાં ન લેવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે જે અંગે જાણ સંસ્થાના ટ્રસ્ટી અને મોરબીના ધારાસભ્યએ વિડીયો મૂકીને લોકોને કરેલ છે.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂકીને જણાવ્યું છે કે આજની તારીખે મોરબી પાંજરાપોળમાં 5,700 જેટલા અબોલ જીવનો નિભાવ થઈ રહ્યો છે. અને ચોમસાની સિઝનમાં ગૌવંશો માટે બે મહિનો ચાલે તેટલો ચારો હાલમાં છે પરંતુ વધુ વરસાદ પડે તો સમસ્યા સર્જાય તેવી શ્ક્યતા છે અને હાલમાં ટ્રસ્ટ પાસે પૂરતું ભંડોળ પણ છે પરંતુ વ્યવસ્થાના ભાગ રૂપે આગામી બે મહિના સુધી પશુ ન લેવા તેવો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે અને વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોય તેવા પશુઓને ગૌ સેવકો લઈને આવશે તો તેના માટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે.




Latest News