મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના ગણેશપરથી રાજકોટ સારવાર માટે લઈ જતાં સમયે રસ્તામાં બેભાન થઈ ગયેલ મહિલાનું મોત


SHARE







ટંકારાના ગણેશપરથી રાજકોટ સારવાર માટે લઈ જતાં સમયે રસ્તામાં બેભાન થઈ ગયેલ મહિલાનું મોત

ટંકારાના ગણેશપર ગામે રહેતા આધેડ મહિલાને બીમારી સબબ રાજકોટ ખાતે સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં તે મહિલા બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ હોસ્પિટલે મહિલાને પહોચાડતા ફરજ પરના ડોક્ટરે તે મહિલાને મૃત જાહેર કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગણેશપર ગામે રહેતા જશુબેન નાગજીભાઈ મેરા (54) નામના આધેડ મહિલાને બીમારી સબબ તેનો દીકરો સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતો હતો દરમિયાન રસ્તામાં તેઓ બેભાન થઈ ગયા હતા અને તેને હોસ્પિટલે લઈને પહોંચ્યા ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે.

બાઇક સ્લીપ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ સોસાયટીમાં રહેતા નેહાબેન સુનિલભાઈ (29) નામની મહિલા પંચાસર રોડ ઉપર આવેલ ગીતા મિલ પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહી હતી ત્યારે દરમિયાન બાઇક સ્લીપ થવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ શેરી નં-4 માં રહેતા દિનેશ બચુભાઈ દેવીપુજક (35) નામના યુવાનને ઉમિયા સર્કલથી આગળના ભાગમાં બ્રિજની નીચે મારામારીમાં ઇજા થયેલ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News