મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારાની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

ટંકારા કોર્ટમા ફરીયાદી રજનિકાંત દેવાભાઈ જારીયાએ આરોપી મીલનભાઈ ભાલોડીયાને હાથ ઉછીનના ૫૦,૦૦,૦૦ આપેલ હતા અને મીલનભાઈ ભાલોડીયાએ તે રકમ પરત આપવા માટે ચેક આપેલ હતો જે ચેક બેંકમા જમા કરાવતા અપુરતા નાણા ભંડોળના કારણે પરત ફરેલ હતો જેથી આ કામના ફરીયાદી રજનિકાંત દેવાભાઈ જારીયાએ આરોપી ઉપર ચેક રીર્ટન અંગેની ફરીયાદ કો.કે.ન.૭૫૧/૨૦૨૨ થી ટંકારા કોર્ટમા દાખલ કરેલ હતી જે ફરીયાદ ટંકારા કોર્ટમા ચાલી જતા આરોપી મિલનભાઈ ભાલોડીયાના વકીલ જયદીપ બી.પાંચોટીયા, ગીરીશ બી.અંબાણી, કે.બી.ચૌહાણ દ્વારા કરવામાં આવેલ દલીલ અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી જે.બી.પાંચોટીયા, ગીરીશ બી.અંબાણી તથા કે.બી.ચૌહાન વકીલ તરીકે રોકાયેલ હતા.






Latest News