મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કાલે મોરબી એસપી કચેરીમાં લોક દરબાર યોજાશે


SHARE











ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કાલે મોરબી એસપી કચેરીમાં લોક દરબાર યોજાશે

રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી કાલે કચ્છ અને મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે કચ્છથી મોરબી આવશે અને ત્યાર બાદ મોરબીમાં એસપી કચેરી ખાતે લોક દરબારનો કાર્યક્રમ યોજાશે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તા. ૨૪ ને ગુરુવારે કચ્છ અને મોરબી જિલ્લાના પ્રવશે આવી રહ્યા છે ત્યારે પહેલા કચ્છના ગાંધીધામ તાલુકાના શીણાય પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના વિવિધ ઉદ્ઘાટન અને ખાતમુર્હતના કાર્યક્રમમાં હાજરી આપશે ત્યાર બાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોક દરબાર યોજાશે ત્યાર પછી બપોરે ૧:૪૫ કલાકે હર્ષ સંઘવી ભચાઉના લાકડિયા ખાતે સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી. કંપની ખાતે નાર્કોટિક જથ્થાના નાશ માટે જશે અને પછી સાંજે ૫: કલાકે તેઓ મોરબી આવી રહ્યા છે અને અને ત્યારે મોરબીની એસપી કચેરી ખાતે લોક દરબાર યોજાશે જેમાં ગૃહમંત્રી લોકોના પ્રશ્નો સાંભળશે. તેવુ જાણવા મળ્યું છે.






Latest News