મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

ઘર કંકાસનું અણધાર્યું પરિણામ: ટંકારાના વાછકપર ગામે પતિ સાથે બોલાચાલી બાદ ઝેરી દવા પી ગયેલ પત્ની અને બે સંતાન પૈકી દીકરાનું મોત


SHARE













ઘર કંકાસનું અણધાર્યું પરિણામ: ટંકારાના વાછકપર ગામે પતિ સાથે બોલાચાલી બાદ ઝેરી દવા પી ગયેલ પત્ની અને બે સંતાન પૈકી દીકરાનું મોત

ટંકારાના વાછકપર ગામે રહેતા પતિ-પત્નીને રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે પત્નીએ મનોમન લાગી આવતા ઝેરી દવા પી લીધૂ હતું તે જોઈને તેના બે સંતાનોને પણ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને બાળકને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા 15 વર્ષના બાળકનું સારવારમાં મોત નીપજયું છે જે બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના વાછકપર ગામે રહેતા હીરાલાલ સાકરીયાના 15 વર્ષના દીકરા હરદેવ સાકરીયાએ ઝેરી દવા પી લીધેલ હતી જેથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા હરદેવ સાકરીયાનું મોત નીપજયું હતું અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ગત તા. 23/8 ના રોજ હીરાલાલ અને તેઓના પત્નીને રૂપિયા બાબતે બોલાચાલી થયેલ હતી અને તે બાબતે હીરાલાલના પત્ની કૃપાલીબેન (36)ને મનોમન લાગી આવતા તેણે ઝેરી દવા પીધી હતી અને તે જોઈને તેઓના દીકરા હરદેવ (15) તથા દીકરી આરવી (13)એ પણ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને હરદેવને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા તેમ છતાં સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન ગઈકાલે બપોરે 3:30 વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નિંદ્રાધીન અવસ્થામાં યુવાનનું મોત

ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતો હરેશભાઈ દિનેશભાઈ જાદવ (27) નામનો યુવાન ટંકારામાં સરકારી હોસ્પિટલ પાછળ ભાડાના મકાનમાં રહેતા તેના મોટાભાઈ ભરતભાઈના ઘરે ફળિયામાં સૂતો હતો દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મૃતકના મોટાભાઈ ભરતભાઈ દિનેશભાઈ જાદવ (36) રહે. ટંકારા વાળાએ પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News